AHMEDABAD PLANE CRASH : 1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત
AHMEDABAD PLANE CRASH : પિતાને કેન્સર થતા લંડનમાં રહેતા પુત્રી-જમાઇ ખબર કાઢવા માટે આવ્યા હતા, અને પરત ફરી રહ્યા હતા
Advertisement
- વાઘેલા પરિવાર માટે આંચકાજનક ઘટના
- એક વર્ષ પૂર્વે પરિવારને પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત
- પુત્ર કોમર્શિયય પાયલોટની ટ્રેઇનીંગમાં હતો, દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું
AHMEDABAD PLANE CRASH : ગતરોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ (AHMEDABAD PLANE CRASH) થઇ ગઇ હતી. આ ફ્લાઇટમાં જામનગર (JAMNAGAR) માં કેન્સર ગ્રસ્ત પિતાની મુલાકાતે આવેલી પુત્રી અને જમાઇ પણ સવાર હતા. જેઓ બંનેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરિવાર માટે દુખદ ઘટના એ રહી કે, એક વર્ષ પૂર્વ મૃતક દંપતીના પુત્રનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું હતું. અને હવે માતા - પિતાનું ક્રેશમાં મૃત્યું થયું છે. પોતાના પતિ સાથે પરત જવા માટે પુત્રીએ ફ્લાઇટની ટિકિટ મોડી કરાવી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

