Ahmedabad Plane Crash : માધાપરના બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હિરાણી રમેશ હિરજીનું કરુણ મૃત્યુ નીપજ્યું
ગોઝારા ગુરુવારે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત કુલ 265 લોકોનું અકાળે મૃત્યુ થયું હતું. આ મૃતકોમાં કચ્છના માધાપરના હિરાણી રમેશ હિરજી (Hirani Ramesh Hirji) નું કરુણ મૃત્યુ થયું હતું. વાંચો વિગતવાર.
Advertisement
- 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં માધાપરના યુવકનો ભોગ લેવાયો
- મૃતક યુવક Hirani Ramesh Hirji બ્રિટીશ સિટીઝનશીપ ધરાવતો હતો
- સમાચાર મળતા જ પરિવારજનો લંડનથી અમદાવાદ દોડી આવ્યા
- કચ્છના માધાપરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે
Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદમાં થયેલ કરુણાંતિકામાં વિમાનમાં સવાર 241 સહિત કુલ 265 લોકોનો ભોગ લેવાયો હતો. આ વિમાન દુર્ઘટનામાં કચ્છના માધાપર ગામના હિરાણી રમેશ હિરજી (Hirani Ramesh Hirji) નું પણ મૃત્યુ થયું હતું. હિરાણી રમેશ બ્રિટિશ સિટીઝનશીપ (British citizenship) ધરાવતા હતા. તેઓ પોતાના અંગત કામે માધાપર આવ્યા હતા. તેમના દુઃખદ નિધનથી માધાપરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

