ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Khunt આત્મહત્યા કેસ : ગોંડલ પોલીસે અતાઉલ્લાહ ખાનની ધરપકડ

Amit Khunt આત્મહત્યા કેસમાં નવો વળાંક : ગોંડલ પોલીસે અતાઉલ્લાહ ખાનની કરી ધરપકડ
07:56 PM Sep 21, 2025 IST | Mujahid Tunvar
Amit Khunt આત્મહત્યા કેસમાં નવો વળાંક : ગોંડલ પોલીસે અતાઉલ્લાહ ખાનની કરી ધરપકડ

રાજકોટના રીબડા ગામે બનેલા ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ પોલીસે વધુ એક આરોપી અતાઉલ્લાહ ખાનની ધરપકડ કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ આ કેસમાં આ બીજી મોટી કાર્યવાહી છે. પોલીસે આરોપી અતાઉલ્લાહ ખાનના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસે રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે, કારણ કે અમિત ખૂંટની આત્મહત્યા પાછળ હનીટ્રેપ અને ખોટા દુષ્કર્મના આરોપોનું કાવતરું હોવાનું સામે આવ્યું છે.

શું છે Amit Khunt આત્મહત્યા કેસ

અમિત ખૂંટ (37) નામના વ્યક્તિએ 5 મે, 2025ના રોજ ગોંડલ નજીક રીબડા ગામે આત્મહત્યા કરી હતી. તેમના ભાઈ મનીષની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પૌત્ર રાજદીપસિંહ, બે મહિલાઓ અને અન્ય લોકો સામે આત્મહત્યા માટે પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અમિત ખૂંટ સામે 3 મે, 2025ના રોજ એક 17 વર્ષની સગીર યુવતીએ રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી હોવાનું તપાસમાં સામે આવ્યું. આ ફરિયાદના માનસિક તણાવને કારણે અમિત ખૂંટે આત્મહત્યા કરી હોવાનું મનાય છે.

અમિત ખૂંટે તેમની ચાર પાનાની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે મહિલાઓ દ્વારા ખોટા દુષ્કર્મના આરોપ લગાવીને હેરાનગતિ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ તપાસમાં આ કેસમાં હનીટ્રેપનું કાવતરું હોવાનો ખુલાસો થયો, જેમાં પૂજા રાજગોર (27) નામની મહિલાએ અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી અને પછી તેમની સામે ખોટા આરોપો લગાવવા માટે દબાણ કર્યું હતું.

હનીટ્રેપ કાવતરામાં અતાઉલ્લા ખાનની સંડોવણીની આશંકા

ગોંડલ પોલીસે આ કેસમાં તાજેતરમાં અતાઉલ્લાહ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ આ બીજી મોટી કાર્યવાહી છે. પોલીસે અતાઉલ્લાહ ખાનના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેથી આ કેસના અન્ય પાસાઓ અને સાથીઓની સંડોવણીની વધુ તપાસ કરી શકાય. પોલીસને શંકા છે કે અતાઉલ્લાહ ખાન આ હનીટ્રેપ કાવતરામાં સંડોવાયેલો હોઈ શકે છે, અને તેની પૂછપરછથી કેસના અન્ય આરોપીઓ અને સંડોવણીની વિગતો સામે આવી શકે છે.

આ કેસમાં અગાઉ ગોંડલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમાં રાજકોટના એડવોકેટ સંજય પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાતર, દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીર યુવતી અને પૂજા રાજગોરનો સમાવેશ થાય છે. પૂજા રાજગોરને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી, અને તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈકે અમિત ખૂંટ સાથે મિત્રતા કરીને ખોટા આરોપ લગાવવા માટે સૂચના આપી હતી. સંજય પંડિત અને દિનેશ પાતરને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતા.

અનિરુદ્ધસિંહ જાડેજા 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ગોંડલ કોર્ટમાં સરન્ડર થયા હતા, અને તેમને જૂનાગઢ જેલમાંથી ગોંડલ પોલીસના કબજામાં લેવામાં આવ્યા હતા. રાજદીપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જે આ કેસમાં મોટો ઝટકો હતો.

આ પણ વાંચો- Limbdi-Rajkot હાઇવે પર ભયંકર અકસ્માત : ડમ્પર અને છોટા હાથીની ટક્કરમાં એકનું મોત, 7થી વધુ ઘાયલ

Tags :
#AmitKhuntSuicide#AniruddhaSinhJadeja#AtaullahKhanGondalpolicehoneytrap
Next Article