Anjar: અંજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસે આ કેસમાં કોઈ પણ કચાશ બાકી ન રાખીને સ્થળ પરના પુરાવાઓ અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ સફળતામાં અંજાર પોલીસની સજાગતા અને ત્વરિત કામગીરી મહત્વની સાબિત થઈ છે.
કેવી રીતે પકડાયો આરોપી?
તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ આરોપી અરવિંદકુમાર ચમારનું નામ મળ્યું હતું. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે જ સંજયસિંહ ગોડ પર છરી વડે હુમલો કરીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા પાછળનું ચોંકાવનારૂ કારણ
આ હત્યા પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બંને વચ્ચે લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીએ આવેશમાં આવીને યુવાનના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘટનાસ્થળ પર જ યુવાનનું મોત નિપજ્યું હતું.
આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ
આ કેસમાં પોલીસે અત્યંત ઝડપથી કામગીરી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જે પ્રશંસનીય છે. અંજાર પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સાબિત કરે છે કે નજીવી બાબતોમાં પણ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, અન્યથા આવી દુઃખદ ઘટનાઓ બની શકે છે.
આ પણ વાંચો: Halol Court Verdict: ગૌવંશ કતલ કેસમાં સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, 4 આરોપીઓને આજીવન કેદ