Aravalli: શામળાજીમાં યોજાશે બે દિવસીય મહોત્સવ, CM ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે વિકાસકાર્યોની ભેટ
- Aravalli: અરવલ્લીમાં શામળાજી મહોત્સવ
- 8-9 જાન્યુઆરીએ યોજાશે કાર્યક્રમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ઉપસ્થિત
- 150 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
Aravalli: અરવલ્લી જિલ્લામાં શામળાજી (Shamlaji) તાલુકામાં આવેલા આ પ્રસિદ્ધ યાત્રધામમાં મહત્વનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી મંદિરે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ યોજાશે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
યાત્રાધામ અને પ્રસિદ્ધ શામળાજી મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો (Cultural programs) યોજાશે. બે દિવસ દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર (Osman Mir) અને કિંજલ દવે (Kinjal Dave) તેમના ભક્તિ અને લોકપ્રિય ગીતોના સૂર રેલાવશે. જેનાથી ભક્તોને આધ્યાત્મિક અને મનોરંજનનો અનોખો અનુભવ થશે.
Aravalli | યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન | Gujarat First
8 અને 9 તારીખે યોજાશે શામળાજી મહોત્સવ
સીએમ ભૂપેન્દ્ર પટેલ આવશે યાત્રાધામ શામળાજી
9 તારીખે શામળાજી મહોત્સવમાં હાજરી આપશે
સિંગર કિંજલ દવે અને ઓસમાન મીર રેલાવશે સુર
અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ… pic.twitter.com/p2gHUswJc3— Gujarat First (@GujaratFirst) January 7, 2026
Aravalli: વિકાસ કાર્યોની ભેટ
9 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લાની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપશે. રૂપિયા 150 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો આદિવાસી બહુલ અરવલ્લી જિલ્લાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. અને છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચાડવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે. શામળાજી મહોત્સવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો એક મહત્વપૂર્ણ મહોત્સવ છે. જેમાં ભક્તો ભગવાન શામળિયાનાં દર્શન કરીને આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમને લઈને તંત્રએ તમામ વ્યવસ્થા અને તૈયારીઓ કરી છે.
આ પણ વાંચો------ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની PM મોદી કરાવશે શરૂઆત
આ પણ વાંચો------ નાયબ મુખ્યમંત્રીએ 24 કલાકમાં પાળ્યું વચન, આણંદના મુસાફરો માટે દોડતી થઈ નવી બસો


