ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha Rain : 13 ગામો સંપર્કવિહોણા, ખેડૂતોને ભારે નુકસાન, રાહત કામગીરી ચાલું

Banaskantha Rain : બનાસકાંઠામાં મેઘતાંડવ; 13 ગામો સંપર્કવિહોણા, 500થી વધુ લોકોનું સ્થળાંતર
03:38 PM Sep 08, 2025 IST | Mujahid Tunvar
Banaskantha Rain : બનાસકાંઠામાં મેઘતાંડવ; 13 ગામો સંપર્કવિહોણા, 500થી વધુ લોકોનું સ્થળાંતર

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદે (Banaskantha Rain) તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વિભિન્ન વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે મુશ્કેલીઓમાં વધારો થયો હતો. સૂઈગામ સહિતના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના કારણે 13 ગામો સંપર્કવિહોણા થયા છે, 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને 279 ગામોમાં વીજળી ગુલ થઈ છે. આ ઉપરાંત, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમો તૈનાત કરીને રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, અને 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Banaskantha Rain આગાહીના કારણે શૈક્ષણિક કાર્ય સ્થગિત

ભારે વરસાદની આગાહીના કારણે બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટરે જિલ્લાભરમાં શૈક્ષણિક કાર્યને પણ સ્થગિત કરી દેવાની જાહેરાત કરી હતી. તો આગામી હવામાન વિભાગની આગાહીને લઈને પહેલાથી સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજ અને આંગણવાડી સહિતનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Kutch Rain : સમગ્ર Kutch જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

Banaskantha Rain : પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

બનાસકાંઠાના સુઈગામ, ભાભર, દિયોદર, વડગામ, અને ધાનેરા જેવા તાલુકાઓમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભાભરથી સુઈગામને જોડતા મુખ્ય માર્ગ પર ઢીંચણસમું પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉચોસણ નજીક પણ પાણી ભરાવાથી અનેક વાહનો ફસાઈ ગયા, અને કેટલાક વાહનચાલકો પરત ફરવા મજબૂર બન્યા. પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો, જેના કારણે મુસાફરો કલાકો સુધી અટવાયા હતા.

ખેડૂતો પર આફત, પાકને ભારે નુકસાન

વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સુઈગામમાં 16 ઈંચ, ભાભરમાં 13 ઈંચ, વાવમાં 12.5 ઈંચ, અને થરાદમાં 11.5 ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા હતા. મોંઘા ભાવે ખરીદેલા ખાતર અને બિયારણ પાણીમાં વહી જતાં ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, ધાનેરા અને દાંતામાં પણ ખેતીને ભારે નુકસાન થયું છે, જ્યાં ખેતરોમાં ઘૂંટણસમું પાણી ભરાયું છે.

રેસ્ક્યૂ અને રાહત કાર્યો

વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લેતા NDRF અને SDRFની ટીમોને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈનાત કરી છે. લાખણી તાલુકાના જસરા ગામમાંથી 150થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, 46,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવાની તૈયારીઓ શરૂ થઈ છે, અને દરેક વ્યક્તિને દિવસના 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વીજળી અને માળખાનું નુકસાન

ભારે વરસાદ અને પવનને કારણે 279 ગામોમાં વીજળી ખોરવાઈ છે, અને 1,100થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ધાનેરામાં સરકારી કચેરીઓમાં પાણી ઘૂસી જતાં વહીવટી કામગીરી ખોરવાઈ છે, જ્યારે થરાદના મુખ્ય બજારમાં ઘૂંટણસમું પાણી ભરાયું છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક 14,655 ક્યુસેક નોંધાઈ, જેની સપાટી 594 ફૂટ પર પહોંચી છે, અને વહીવટી તંત્રે વ્હાઈટ એલર્ટ જાહેર કર્યું છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે વરસાદથી ઉદ્ભવેલી સ્થિતિનું મૂલ્યાંકન કરવા તાત્કાલિક બેઠક યોજી હતી. નદીકાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટીને પાણીના નિકાલ માટે તાકીદે વ્યવસ્થા કરવા સૂચના આપી, અન્યથા કાર્યવાહીની ચેતવણી આપી છે.

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ

Tags :
BanaskanthaBanaskantha rainDantiwadaDamFarmersfloodGujaratFirstheavyrainNDRFSDRFWaterbomb
Next Article