Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગીરના જંગલમાં ગુંજ્યો લોકશાહીનો શંખનાદ, માત્ર એક હરિદાસ બાપુએ મતદાન કર્યું

જંગલના રાજા ગણાતા સિંહોના ગઢમાં જ્યારે લોકશાહીનો શંખનાદ થાય ત્યારે આખું વિશ્વ જોતું રહી જાય છે. ગીરના મધ્યમાં માત્ર એક વ્યક્તિ માટે ઊભું કરાયેલું મતદાન મથક કોઈ આશ્ચર્યથી ઓછું નથી. આ વખતે હરિદાસ બાપુએ મતાધિકારનો ઉપયોગ કરી એવી પરંપરા જીવંત રાખી છે જે દેશના દરેક મતદાર માટે ગર્વ લેવા જેવી છે.
ગીરના જંગલમાં ગુંજ્યો લોકશાહીનો શંખનાદ  માત્ર એક હરિદાસ બાપુએ મતદાન કર્યું
Advertisement
  • ગીરના જંગલમાં માત્ર એક Haridas Bapu એ કર્યું મતદાન!
  • બાપુએ મત આપતાની સાથે જ બૂથનું મતદાન સો ટકા પૂર્ણ
  • સ્વ. ભરતદાસ બાપુ બાદ શિષ્યએ ઐતિહાસિક પરંપરા આગળ ધપાવી
  • ચૂંટણી તંત્રે જામવાળા ગીરથી 25 કિમી દૂર જંગલમાં ખાસ બૂથ બનાવ્યું
  • સિંહોના ગઢ ગણાતા બાણેજમાં લોકશાહીના પર્વનો અનોખો ઉત્સાહ
  • એકમાત્ર મતદાર માટે આખી ચૂંટણી ટીમ જંગલ મધ્યે તૈનાત કરવામાં આવી

Haridas Bapu Voting: ભારતની લોકશાહીની સુંદરતા તેના છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસોમાં છે. ગીરના ઘનઘોર જંગલ (Gir Forest) મધ્યે આવેલ બાણેજ (Banej) ખાતે આજે ફરી એકવાર ઇતિહાસ રચાયો છે. અહીં માત્ર એક જ મતદાર માટે આખું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું. મહંત હરિદાસ બાપુએ (Haridas Bapu) પોતાનો કિંમતી મત આપતાની સાથે જ આ બૂથ પર સો ટકા મતદાન નોંધાયું હતું.

ગુરુની પરંપરાને Haridas Bapu એ આગળ ધપાવી

ઉલ્લેખનીય છે કે, વર્ષો સુધી આ બૂથ પર સ્વ. ભરતદાસ બાપુ (Late Bharatdas Bapu) એકમાત્ર મતદાર તરીકે ઓળખાતા હતા. સમગ્ર વિશ્વમાં આ બૂથ 'સિંગલ વોટર બૂથ' તરીકે પ્રખ્યાત છે. ભરતદાસ બાપુના બ્રહ્મલીન થયા બાદ, તેમના શિષ્ય હરિદાસ બાપુએ આ પરંપરાને અતૂટ રાખી છે. ગીર સોમનાથ (Gir Somnath) વહીવટી તંત્ર દ્વારા બાપુના મતાધિકાર માટે જામવાળા ગીરથી અંદાજે 25 કિલોમીટર દૂર જંગલની અંદર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Haridas Bapu_gujarat_first

Advertisement

સિંહોના ગઢમાં મતદાનનો ઉત્સાહ

એશિયાટિક લાયન્સ (Asiatic Lions) ના રહેઠાણ સમાન ગીરના જંગલમાં જ્યાં સામાન્ય રીતે જવું મુશ્કેલ હોય છે, ત્યાં ચૂંટણી પંચની ટીમ ખાસ બાપુનો મત લેવા પહોંચી હતી. હરિદાસ બાપુએ મતદાન બાદ લોકશાહીના પર્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકારે માત્ર એક વ્યક્તિ માટે જે વ્યવસ્થા કરી છે તે સાબિત કરે છે કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય (Value of Each Vote) સમાન છે. તેમણે તમામ નાગરિકોને મતદાનની અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો: Playback Singer એ ત્રણ મહિનામાં ત્રીજી વખત કરોડોની મિલકત વસાવી !

Tags :
Advertisement

.

×