ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રનાં એવોર્ડ એનાયત કરાયા, ગાયન, વાદ્યનૃત્ય માટે હનુમંત એવોર્ડ એનાયત

હનુમાન જયંતીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહુવા ખાતે મોરારી બાપુની નિશ્રામાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
06:23 PM Apr 12, 2025 IST | Vishal Khamar
હનુમાન જયંતીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહુવા ખાતે મોરારી બાપુની નિશ્રામાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
bhavnagar News first gujarat

મહુવા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે મોરારીબાપુ (Morari Bapu) નિશ્રામાં ગુરુ શુક્ર શનિ એમ ત્રણ દિવસ 48મી હનુમાન (Bhavnagar Hanuman Jayanti) સંગીત મહોત્સવ સાથે જયંતિ ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતી (Bhavnagar Hanuman Jayanti) ના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ પણ કરીને વંદના કરવામાં આવી હતી. મોરારીબાપુ (Morari Bapu) ની પ્રેરણા અને માર્ગદર્શન સાથે તલગાજરડા ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને શિષ્ય રૂપે સંગીતાજલી અર્પણ કરીને હનુમાન જન્મત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી.

હનુમાન જયંતી (Hanuman Jayanti) ના તારીખ 12 ને શનિવારે સવારે એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં હનુમાનજી મહારાજની સમક્ષ સવારે 9:00 કલાકે સુંદરકાંડનાએ પાઠ આરતી હનુમાન ચાલીસા ના પાઠ બાદ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સવારે 10:00 કલાકે મોરારીબાપુ (Morari Bapu) ના હસ્તે ગાયન વાદ્ય નૃત્ય માટે હનુમંત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ગાયન માટે પંડિત જય તીર્થ મેહુડી સિતારવાદન માટે નીલાદરી કુમાર અને નૃત્ય કથક માટે મંગળદાસને તેમજ ચાલવાદ તબલા માટે એવોર્ડ સત્યજીત ચાલુ કર ને અર્પણ કરવામાં આવ્યો હતો. અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપક્રમે અપાતો નટરાજ એવોર્ડ ભવાઈ માટે ત્રણ જીવન પેજા મોરબી વાળા નાટક માટે સુરત વ્યાસ મુંબઈવાળા હિન્દી ટીવી સિરિયલ માટે અર્જુન એટલે કે મહાભારતના ફિરોજ ખાન મુંબઈને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું

તેમ જ સંસ્કૃત ભાષાની સેવા કરનાર વિદ્વાન મહિલાને અપાતો ભામતી પુરસ્કાર ડોક્ટર પુનિતાબેન દેસાઈ વલસાડ વાળાને અર્પણ કરાયો હતો. બીજો સંસ્કૃત ભાષાનો વાચસ્પતિ પુરસ્કાર ડોક્ટર ગિરીશ જાની મુંબઈ ભારતીય વિદ્યાભવનને એનાયત કરાયો હતો. જ્યારે કૈલાશ લલિતકલા એવોર્ડ જલાલ ચિત્ર વડોદરાને, સદભાવના એવોર્ડ ગુલઝાર અહેમદ કશ્મીર વાળા અને અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ તથા હરિશ્ચંદ્ર જોશી બોટાદને અર્પણ કરીને તેઓની વંદના કરવામાં આવી હતી. એવોર્ડ અર્પણ વિધિ બાદ સમગ્ર ઉપક્રમ ના પ્રેરણા સ્તોત્ર અને માર્ગદર્શન મોરારીબાપુનું પ્રાચીન રહ્યું હતું.

આ પણ વાંચોઃ Sad demise : કથકના એક યુગનો અંતઃ-પદ્મ વિભૂષણ નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન

Tags :
Bhavnagar Hanuman Jayanti CelebrationBhavnagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSMorari BapuVarious Awards Presented
Next Article