ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar:પંડ્યા ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત, ગ્રાહકે દુકાને પહોંચી તપાસ કરતા થઈ ગયા સ્તબ્ધ!

ભાવનગર (Bhavnagar) શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા સંજયભાઈ જાડાવ નામના ગ્રાહકે શહેરના દેસાઈનગર લાલટાંકી વિસ્તારમા આવેલી પંડ્યા મીઠાઈ નામની ફરસાણની દુકાનેથી ખરીદેલી ખજૂર પાક મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી હતી .
04:15 PM Dec 06, 2025 IST | Sarita Dabhi
ભાવનગર (Bhavnagar) શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા સંજયભાઈ જાડાવ નામના ગ્રાહકે શહેરના દેસાઈનગર લાલટાંકી વિસ્તારમા આવેલી પંડ્યા મીઠાઈ નામની ફરસાણની દુકાનેથી ખરીદેલી ખજૂર પાક મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી હતી .
Bhavnagar mithai jivat- Gujarat first

Bhavnagar: રાજ્યમાં વારંવાર ખાવા પીવાની વસ્તુંઓમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો હવે ભાવનગરમાંથી (Bhavnagar) પણ સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં મીઠાઈના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળી હતી.

ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળીતા હોબાળો મચી જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા સંજયભાઈ જાડાવ નામના ગ્રાહકે શહેરના દેસાઈનગર લાલટાંકી વિસ્તારમા આવેલી પંડ્યા મીઠાઈ નામની ફરસાણની દુકાનેથી ખરીદેલી ખજૂર પાક મીઠાઈ ખરીદી હતી. જ્યારે તેમણે આ મીઠાઈ જોઈ તો તેમાં જીવાત દેખાઈ હતી જે જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા.

દુકાને રાખવામાં આવેલી મીઠાઈમાંથી પણ જીવાત નીકળી

ખજૂર પાક મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ગ્રાહકે મીઠકઇની દુકાને પહોંચી ત્યાં રાખવામાં આવેલી મીઠાઈની તપાસ કરતા તેમાંથી પણ જીવાત નીકળી હતી. આમ દુકાનદાર જીવાતવાળી મીઠાઈ ગ્રાહકોને પધારવા હોવાનું સામે આવતા ગ્રહાકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ મામલે ગ્રાહકે દુકાનદાર સામે આક્રોશ વ્યક્ત કરતા દકાનદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.

આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

મહ્તવનું છે કે, ભાવનગરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આરોગ્યને નુકશાન થાય એ પ્રકારની મીઠાઈનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે,આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગી આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો:  Surat: MLA કુમાર કાનાણીને કેમ લખવો પડ્યો મેયરને પત્ર?, જાણો શું કરી રજૂઆત!

Tags :
BhavnagarBhavnagar Municipal CorporationBortalav RoadGujarat FirstHealth DepartmentPandya Dairy sweets
Next Article