ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Catch the Rain Abhiyan :જળસંગ્રહ-જળસંચયની કામગીરી સુચારૂ રૂપે-ત્વરીત કરી શકાય તે હેતુથી આધુનિક હેવી મશિનરીની ખરીદી

રૂ. ૧૮.૬૧ કરોડથી વધુ કિંમતના ૧૨૨ વાહનોને જળ સંગ્રહ શક્તિમાં વધારો કરવા કામે લગાડાયાં
01:42 PM Jun 23, 2025 IST | Kanu Jani
રૂ. ૧૮.૬૧ કરોડથી વધુ કિંમતના ૧૨૨ વાહનોને જળ સંગ્રહ શક્તિમાં વધારો કરવા કામે લગાડાયાં

Catch the Rain Abhiyan : જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya) એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૪-૨૫માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂ. ૧૮.૬૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા રાજ્યના વર્તમાન ડેમ, કેનાલ, તળાવ બનાવવા, દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સ્વપ્ન સમાન 'કેચ ધ રેઇન’ – સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦' અંતર્ગત કાંપ દુર કરી તળાવો ઊંડા કરવા, કેનાલોની મરામત, સાફ સફાઈ, પુરના પાણીને નડતરરૂપ અવરોધો દુર કરવા, પૂર રાહતની આકસ્મિક અને આવશ્યક કામગીરી, જળસંગ્રહ-જળસંચયની કામગીરી સુચારૂ રૂપે-ત્વરીત કરી શકાય તે હેતુથી આ આધુનિક હેવી મશિનરીની ખરીદી કરવામાં આવી છે.

આ ઉપરાંત જળ સંપત્તિ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ પર ચાલતી કામગીરી ઉપર ક્ષેત્રિય કચેરીઓ દ્વારા નિરીક્ષણ કરી શકાય તેવા ઉદેશ સાથે કુલ ૧૦૭ નિરીક્ષણ વાહનોની પણ ખરીદી કરવામાં આવી છે જે વાહનોને આજે પ્રસ્થાન કરાવ્યું હતું તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ડેમ સલામતીમાં વધારો અને ગામ તળાવોની જળ સંગ્રહ શકિતમાં વધારો 

મંત્રી કુંવરજીભાઈએ વાહનોની ઉપયોગીતા વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, જળ સંપતિ વિભાગની મશિનરી દ્વારા વાર્ષિક અંદાજીત ૭૦ લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ડેમના પાળાપર પર ઉગી નીકળેલ નડતર રૂપ ઝાડી ઝાખરા તેમજ નકામી વનસ્પતિ વિગેરેને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત ગામ તળાવ નવા બનાવવા, છિછરા થયેલ હયાત તળાવોને પુન: ઉડા કરવા તેમજ પુર દરમિયાન ડેમના અને કેનાલના ક્ષતી પામેલ પાળાઓની મરામત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીથી ડેમ સલામતીમાં વધારો થશે અને ગામ તળાવોની જળ સંગ્રહ શકિતમાં વધારાની સાથે પાણી સંગ્રહ પણ થશે.

વધુમાં જળ સંપત્તિ વિભાગ હેઠળની જળ સંપતિ યોજના, કેનાલ, ગામ તળાવ વિગેરેના ર્નિમાણ તેમજ નિભાવની ચાલતી કામગીરીનું નિરીક્ષણ સુચારૂ રીતે સમયસર પૂર્ણ થઇ શકશે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી ક્ષેત્રિય કચેરીઓને જરૂરીયાત મુજબના આ નવીન નિરીક્ષણ વાહનોની ફાળવણી કરવામાં આવી છે તેમ, મંત્રીશ્રી જણાવ્યું હતું.

વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરી વિવિધ વિગતો મેળવી 

ગાંધીનગરથી મંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલા વાહનોમાં રૂ. ૯૮૨.૧૦ લાખની કિંમતની ૧૦૭ નિરીક્ષણ- બોલેરો વાહનો, રૂ. ૫૬.૪૪ લાખના ૦૨ બેકહો લોડર, રૂ. ૧૦૮.૫૦ લાખના ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક લોંગરીચ એક્સકેવેટર, રૂ. ૧૦૦.૨૫ લાખના ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક એક્સકેવેટર ૦.૯-૧.૦ ક્યુબી.મી કેપેસીટી, રૂ. ૫૧.૪૯ લાખનું ૦૧ કોમ્પેક્ટર રોલર ૧૧ ટન, રૂ. ૧૫૦.૩૪ લાખના ૦૩ પ્રાઈમ મુવર વિથ ટ્રેલર, રૂ. ૫૩.૫૮ લાખના ૦૩ ટ્રક- ૬ થી ૭ ટન અને રૂ. ૩૫૮.૭૨ લાખની કિંમતના ૦૨ BD-૬૫ ડોઝર એમ કુલ ૧૨૨ વાહનો મળીને કુલ રૂ. ૧૮૬૧.૪૨ લાખનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મિકેનિકલ શાખાના મુખ્ય ઈજનેર શ્રી ડી.એ.ઠક્કર, સિવિલ શાખાના દક્ષિણ ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર શ્રી આર.એમ.પટેલ, અધિક્ષક ઈજનેર-યાંત્રિક એસ.વી.ધાનાણી સહિત જળ સંપત્તિ વિભાગના ઈજનેરો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Catch the Rain AbhiyanCM Bhupendra PatelKunvarji Bavaliyapm narendra modi
Next Article