Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : કેરીનાં પાક પર વાતાવરણની ગંભીર અસર! ખેડૂતોમાં ચિંતા, જાણો સ્થિતિ

છેલ્લા અમુક દિવસથી વાતાવરણમાં સતત વર્તાતી અનિયમિતતાના કારણે હાલ આંબાની ખેતી પર તેની ઓછા-વત્તા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે.
chhota udepur   કેરીનાં પાક પર વાતાવરણની ગંભીર અસર  ખેડૂતોમાં ચિંતા  જાણો સ્થિતિ
Advertisement
  1. અનેક વિસ્તારમાં માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી (Chhota Udepur)
  2. કેરનાં તૈયાર પાકને વાતાવરણમાં સતત થઈ રહેલા પલટાની અસર
  3. આંબા પરના મોર કાળા પડીને ખરી પડતા ખેડૂતોમાં ચિંતા
  4. કેરીની માંગ સામે મર્યાદિત પુરવઠો બજારોમાં ઠલવાશે તો ભાવ આસમાને પહોંચશે!

Chhota Udepur : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં એપ્રિલનાં પ્રથમ સપ્તાહ દરમિયાન માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી હતી, જેથી કેરીનાં તૈયાર પાકને તેની ભારે અસર થઈ શકે તેમ છે. જો કે, છોટાઉદેપુર જિલ્લામાં સદર આગાહીની નોંધપાત્ર અસર જોવા મળી ન હતી. પરંતુ, છેલ્લા અમુક દિવસથી વાતાવરણમાં સતત વર્તાતી અનિયમિતતાના કારણે હાલ આંબાની ખેતી પર તેની ઓછા-વત્તા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Morbi : મચ્છુ-3 ડેમમાં માતા અને પુત્રીએ ઝંપલાવ્યું, માતાનો આબાદ બચાવ

Advertisement

Advertisement

કેરીનાં પાક પર વાતાવરણમાં પલટાની અસર

માહિતી અનુસાર, વાતાવરણમાં પલટાનાં કારણે અનેક ખેડૂતોના આંબા પરના મોર કાળા પડીને ખરી રહ્યા છે. તેવામાં આ વખતે ઓછા ઉત્પાદનની સંભાવનાઓ વર્તાઈ રહી છે. તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર તો થશે જ પરંતુ, સાથે-સાથે સામાન્ય નાગરિકોનાં ખિસ્સા પર પણ તેની અસર જોવા મળી શકે છે. એટલે કે આ વખતે કેરીનાં ભાવ આમ પ્રજાનાં પણ દાંત ખાટા કરશે તેવી ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો - Jamnagar : ખરેખર...આની પણ ચોરી થાય! ચોરની કરતૂત જાણી આશ્ચર્ય પામશો! જુઓ Video

સવારે ઝાકળ, ગરમીની અસરે આંબા પરનાં મોર કાળા પડીને ખરી રહ્યા છે : ખેડૂત

શરૂઆતનાં તબક્કે આ વખતે કેરીનાં સારા ઉત્પાદનની સેવાઈ રહેલી આશાઓ પર હાલ પાણી ફરતું જોવા મળી રહ્યું છે. ખેડૂતોનાં (Chhota Udepur) જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક માસ પૂર્વે વહેલી સવારે ઝાકળ અને હાલ વ્યાપક ગરમીની અસરથી આંબા પરનાં મોર કાળા પડીને ખરી રહ્યા છે. બીજી તરફ, ખેતી પાક સંશોધકના મતે પણ વાતાવરણમાં આવતા અવારનવાર પલટાનાં કારણે મોર કાળા પડી ખરી પડવાની વાતને સમર્થન મળી રહ્યું છે. જો કે, કેરીનાં ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી ઓછા-વત્તા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવતો હોવાનું પણ જાણવા મળી આવ્યું છે. પરંતુ, આ વર્ષે અનેક વિસ્તારોમાં માવઠા થતાં કેરીનાં તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાનાં કારણે કેરીની માંગ સામે મર્યાદિત પુરવઠો બજારોમાં ઠલવાશે તો તેના કારણે કેરીનાં ભાવ આસમાને પહોંચી શકે છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - junagadh: રમતગમત સમારોહ પહેલા છબરડો, આમંત્રણ પત્રિકામાં MLA ના નામ જ બદલી દીધા

Tags :
Advertisement

.

×