Banaskantha માં CM ભૂપેન્દ્ર પટેલનો હુંકાર, "ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે"
- Banaskantha માં મુખ્યમંત્રીની ગર્જના: "ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે!"
- ડીસાના કંસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશાળ 'વિકાસ સંકલ્પ સભા' યોજાઈ
- જિ. પંચાયત અને તા. પંચાયતની સીટો કબ્જે કરવા ભાજપનું ચૂંટણી રણશિંગુ
- વિપક્ષ માત્ર ખામી શોધે છે, હારેલા નેતાઓ પ્રજા વચ્ચે આવતા નથી: મુખ્યમંત્રી
- ખેડૂતોની પડખે સરકાર, એકપણ કામ અધૂરું નહીં રહે તેવી સભામાં અપાઈ ખાતરી
- પંચાયતની ચૂંટણી પૂર્વે CM ના પ્રવાસથી બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો
Banaskantha : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો [Local Body Elections) જંગ જામી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અત્યારે એક્શન મોડમાં છે. મુખ્યમંત્રીએ આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે એક વિશાળ 'વિકાસ સંકલ્પ સભા' [Vikas Sankalp Sabha) ને સંબોધી હતી. આ સભાનો મુખ્ય હેતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવાનો અને મતદારોને રિઝવવાનો હતો.
CM Bhupendrabhai Patel : "તમારું એક પણ કામ અધૂરું ન રહે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર પાસે છે" | Gujarat First
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પ્રવાસે
ડીસાના કંસારી ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલની સભા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને CMનો પ્રચાર
જિ. પંચાયત, તા.પંચાયતની સીટો કબ્જે… pic.twitter.com/3waO2YOyHu— Gujarat First (@GujaratFirst) April 18, 2026
Banaskantha: વિપક્ષ પર આકરા પ્રહાર
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ [Politics of Development) કરવામાં માને છે. તેમણે ભૂતકાળની સરકારોની ટીકા કરતા કહ્યું કે, પહેલાના નેતાઓ માત્ર સામાજિક વિવાદો ઉભા કરવાનું કામ કરતા હતા, જ્યારે ભાજપે ગુજરાતને વિકાસનો નવો પંથ બતાવ્યો છે. "વિપક્ષનું કામ માત્ર સરકારની ખામીઓ કાઢવાનું છે, પરંતુ પ્રજા જાણે છે કે કોણ ખરેખર તેમની સાથે ઉભું છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
Gujarat Local Body Election 2026 : CM Bhupendrabhai Patel Vav-Tharad ના ઢીમાના પ્રવાસે । Gujarat First
CM ભૂપેન્દ્રભાઈ પટેલ વાવથરાદના ઢીમાના પ્રવાસે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર તેજ
ઢીમામાં CMની અધ્યક્ષતામાં વિજય સભા
3 જિલ્લા અને 16 તાલુકા પંચાયત માટે પ્રચાર
CM… pic.twitter.com/vopb3mA7Gs— Gujarat First (@GujaratFirst) April 18, 2026
ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું વચન
ખાસ કરીને ખેડૂત મતદારોને લક્ષમાં રાખીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની [Farmers Welfare) પડખે રહી છે. તેમણે ખાતરી આપી હતી કે ખેડૂતોનું એકપણ કામ અધૂરું રહેશે નહીં અને સિંચાઈ તથા વીજળી જેવા પાયાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. ચૂંટણીમાં હારેલા ઉમેદવારો ફરી ક્યારેય પ્રજાની વચ્ચે આવતા નથી તેવો ટોણો મારીને તેમણે ભાજપના ઉમેદવારોની સક્રિયતાના વખાણ કર્યા હતા. આ પ્રવાસથી બનાસકાંઠા ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Surendranagar : લીંબડીમાં ACમાં શોર્ટ સર્કિટથી આખું ઘર સળગ્યું, દંપતી આગમાં થયું ભડથું


