ચાંગોદર GIDC ખાતે CM Bhupendra Patel દ્વારા મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કરાયું
- મેટર મેન્યુફેક્ચરિંગ હબ 2.25 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે
- હબ વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે
- ગીયરવાળું પ્રથમ e bike મેટર મેન્યુફેક્ચરિંગ હબમાં તૈયાર થયું છે
Ahmedabad: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંગોદર GIDC ખાતે મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કર્યુ છે. આ મેન્યુફેક્ચરિંગ હબ 2.25 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્ધાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ હાજર રહ્યા હતા. આ હબ મેક ઈન ઈન્ડિયા અને ઈનોવેટ ઈન ઈન્ડિયા અંતર્ગત ભરવામાં આવેલ મહત્વનું પગલું છે.
મેટર મેન્યુફેક્ચરિંગ હબ એટ અ ગ્લાન્સ
ચાંગોદર GIDC ખાતે CM Bhupendra Patel દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલ મેટર મેન્યુફેક્ચરિંગ હબ 2.25 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ હબ મેક ઈન ઈન્ડિયા અને ઈનોવેટ ઈન ઈન્ડિયા અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે. મેટર મેન્યુફેક્ચરિંગ હબ વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી 3 વર્ષમાં મેટર મેન્યુફેક્ચરિંગ 2 હજારથી વધુ રોજગારની તકો પૂરી પાડશે. મેટર મેન્યુગેક્ચરિંગમાં તૈયાર e bike ગીયરવાળું પ્રથમ e bike છે.
આ પણ વાંચોઃ PALANPUR : આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું
છેલ્લા 10 વર્ષમાં EVનું વેચાણ વધી રહ્યું છે: CM
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનની શરૂઆત નવરાત્રીની શુભકામના પાઠવીને કરી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની 3જી ટર્મમાં દેશ ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ અર્થ વ્યવસ્થામાં ઓટો ઈન્ડસ્ટ્રીઝ સૌથી મહત્વનો ફાળો છે. હવે પેટ્રોલ ડીઝલ વાહનનું સ્થાન EVએ લીધું છે. છેલ્લા 10 વર્ષમાં EVનું વેચાણ વધી રહ્યું છે. પર્યાવરણના જતન માટે પણ EVનો ઉપયોગ કરવો અગત્યનું છે.
રીન્યુઅઝ્લ એનર્જી પ્રોડકશનમાં દેશ 3જા ક્રમે: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત દેશ સમગ્ર દેશ રીન્યુઅઝ્લ એનર્જી પ્રોડકશનમાં 3જા ક્રમે હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સોલર એનર્જીને વધુ પ્રોત્સાહન આપવા માટે ઘર પર રૂફ ટોપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો વધુમાં વધુ લોકોએ લાભ લીધો છે. વડાપ્રધાન મોદીએ ગ્રીન અને ક્લીન હાઈડ્રોજન માટે અભિયાન શરૂ કર્યુ છે. જેના માટે બજેટમાં જરૂરી રકમ પણ ફાળવવામાં આવી છે.
આ પણ વાંચોઃ VADODARA : દુધની પ્રોડક્ટ સહિત અનેક ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ મળ્યા, વાંચો યાદી