CM Bhupendra Patel ની કચ્છ મુલાકાત, રૂ. 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) કચ્છની મુલાકાતે
- ભુજ અને ગાંધીધામમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
- 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
- ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કરશે અનાવરણ
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) કચ્છ (Kutch) જિલ્લાના વિકાસને વધુ વેગ આપવા એક દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુલ રૂ. 500 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) કચ્છની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) સૌથી પહેલાં ગાંધીધામ પહોંચશે, જ્યાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા રુ.176 કરોડના અનેક વિકાસકાર્યોનો શુભારંભ કરાવશે.આ ઐતિહાસિક મુલાકાતમાં મુખ્યમંત્રી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. આ પ્રસંગે તેઓ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાબાસાહેબના સમાનતા, ન્યાય અને બંધુત્વના વિચારોને યાદ કરશે, જે સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપશે.
કચ્છના વિકાસને વધુ ગતિ મળશે
છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છ જિલ્લાને અબજો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ મળ્યા છે, જેનું પરિણામ આજે જિલ્લાના ખૂણે ખૂણે દેખાઈ રહ્યું છે. આજની મુલાકાત અને નવા પ્રોજેક્ટ્સથી કચ્છના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશ છે. કચ્છના લોકો માટે આ દિવસ એક નવા વિકાસના અધ્યાયનો પ્રારંભ બની રહેશે.
આ પણ વાંચો : Gandhinagar : નિમણૂક પત્ર એનાયત સમારોહમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે રમૂજી અંદાજમાં કરી હળવી ટકોર!