CM-Gujarat : કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ કુંભમેળામાં જશે
03:41 PM Feb 06, 2025 IST
|
Kanu Jani
- CM-Gujarat -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ કુંભમેળામાં જશે
-------
CM-Gujarat ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રીશ્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
આ પણ વાંચો-VADODARA : અમેરિકાથી ડિપોર્ટ થયેલી યુવતિ વતન પહોંચી, પિતાની આંખમાં 'ખુશી'ના આંસુ
Next Article