ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara: નોકરી-ધંધો છોડી આવ્યા પણ આવાસનો ડ્રો જ ન થયો,લોકો નિરાશ પરત ફર્યા

વડોદરામાં (Vadodara) આવાસના લાભાર્થીઓ સાથે કોર્પોરેશને ખેલ કર્યો છે. ભાયલી, બિલ, સેવાસી, સયાજીપુરા આવાસ યોજનામાં ડ્રો ને લઈ લાભાર્થીઓ સાથે ખેલ કર્યો છે. કોર્પોરેશને આજે સવારે 10 વાગે સર સયાજીરાવ નગર ગૃહમાં આવાસના ડ્રો થશે તેવો મેસેજ કર્યો આ મેસેજના આધારે લાભાર્થીઓ સ્થળ પર પહોચતા આજે ડ્રો નહીં થાય તેવી જાણ થઈ જેથી લાભાર્થીઓ નિરાશ થયા હતા.
01:34 PM Dec 10, 2025 IST | Sarita Dabhi
વડોદરામાં (Vadodara) આવાસના લાભાર્થીઓ સાથે કોર્પોરેશને ખેલ કર્યો છે. ભાયલી, બિલ, સેવાસી, સયાજીપુરા આવાસ યોજનામાં ડ્રો ને લઈ લાભાર્થીઓ સાથે ખેલ કર્યો છે. કોર્પોરેશને આજે સવારે 10 વાગે સર સયાજીરાવ નગર ગૃહમાં આવાસના ડ્રો થશે તેવો મેસેજ કર્યો આ મેસેજના આધારે લાભાર્થીઓ સ્થળ પર પહોચતા આજે ડ્રો નહીં થાય તેવી જાણ થઈ જેથી લાભાર્થીઓ નિરાશ થયા હતા.
vadodara avas- Gujarat first

Vadodara: વડોદરા મહાનગરપાલિકાએ (VMC) ભાયલી, બિલ, સેવાસી અને સયાજીપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનોના ડ્રો અંગે લાભાર્થીઓ સાથે મોટો ખેલ ખેલ્યો હોવાનો આક્ષેપ થયો છે.

વડોદરામાં (Vadodara) આવાસના લાભાર્થીઓ સાથે કોર્પોરેશને કર્યો ખેલ

મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આવાસનો ડ્રો યોજાશે તેવો સત્તાવાર મેસેજ લાભાર્થીઓને મોકલવામાં આવ્યો હતો. આ મેસેજના આધારે સેંકડો લાભાર્થીઓ નોકરી-ધંધો છોડીને સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતાં જ તેમને જાણ થઈ કે આજે ડ્રો નહીં થાય, હવે આવતીકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ડ્રો યોજાશે.

લાભાર્થીઓમાં ભારે રોષ

આ અચાનક ફેરફારથી ત્રણ-ચાર વર્ષથી આવાસની રાહ જોતા લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. તેમણે પાલિકા સામે “કોર્પોરેશન મુર્દાબાદ”, “અમારી સાથે છેતરપિંડી નહીં ચાલે” જેવા સૂત્રોચ્ચાર કર્યા અને રોડ ઉપર જ બેસી રોષ વ્યક્ત કર્યો.

કોંગ્રેસ શહેર પ્રમુખ સ્થળ પર દોડી આવ્યા

લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, “અમે રોજી-રોટી છોડીને આવ્યા છીએ, બાળકોને સ્કૂલેથી રજા અપાવી છે, અમારી સાથે આવો ધક્કો ન ખવડાવો.” ઘટનાની જાણ થતાં કોંગ્રેસ શહેર પ્રમુખ રુત્વિજ જોશીપુરા સ્થળ પર દોડી આવ્યા અને લાભાર્થીઓને ટેકો આપ્યો. તેમણે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરીને ડ્રો તાત્કાલિક યોજવાની માગણી કરી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લાભાર્થીઓ નિરાશ થઈને પરત ફર્યા હતા.

આ પણ વાંચો:  Dahod: સીંગવડ તાલુકાના બારેલા ગામે 5 મકાનોમા ભીષણ આગ, ચાર બકરાનાં મોત, પરિવાર સલામત

Tags :
CorporationGujaratGujarat FirsthousingVadodaraVMC
Next Article