ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દાંતીવાડા ડેમ કેનાલમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોને લાખોનું નુકસાન

દાંતીવાડા ડેમની સિંચાઈ કેનાલોમાં સફાઈ અને રિપેરિંગ વિના પાણી છોડાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર દ્વારા ફાળવાયેલી લાખોની ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો વચ્ચે કેનાલો ઓવરફ્લો થઈ ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. ખેડૂતોમાં રોષ છે, જ્યારે અધિકારીઓ મૌન સાધી બેઠા છે.
12:00 PM Dec 14, 2025 IST | Hardik Shah
દાંતીવાડા ડેમની સિંચાઈ કેનાલોમાં સફાઈ અને રિપેરિંગ વિના પાણી છોડાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર દ્વારા ફાળવાયેલી લાખોની ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો વચ્ચે કેનાલો ઓવરફ્લો થઈ ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. ખેડૂતોમાં રોષ છે, જ્યારે અધિકારીઓ મૌન સાધી બેઠા છે.
Dantiwada_Dam_Canal_Gujarat_First

Dantiwada dam canal issue : દાંતીવાડા ડેમના ખેડૂતોને પિયત માટે કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ દર વર્ષે પાણી છોડતા પહેલા થતા અનિયમિત અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરીને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

લાખોની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર : સફાઈ વિના પાણી છોડાયું

સરકાર દ્વારા દર વર્ષે સિંચાઈની કેનાલોની સાફ-સફાઈ અને રિપેરિંગ પાછળ લાખો રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલના અધિકારીઓ આ નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. સફાઈ અને સમારકામની કામગીરી કર્યા વિના જ સીધું પાણી કેનાલોમાં છોડી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મામલે રિયાલિટી ચેક કરતાં હકીકત સામે આવી હતી. આસેડાથી સાવિયાણા તરફ જતી મુખ્ય કેનાલ તેમજ તેની આસપાસની માઇનોર કેનાલોમાં પણ સફાઈ કે રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન

જ્યારે કેનાલો કાંપ અને કચરાથી ભરેલી હોય અને તૂટેલી હાલતમાં હોય, ત્યારે તેમાં એકાએક પાણી છોડવામાં આવે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. સફાઈના અભાવે કેનાલો અનેક જગ્યાએ ઉભરાઈ જાય છે અને નબળા રિપેરિંગ કે જૂની દીવાલોને કારણે કેનાલોમાં મોટા ગાબડાં પડી જાય છે. કેનાલમાં પડેલા આ ગાબડાંનું પાણી સીધું બાજુના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય છે. આના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને વારંવાર લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટની મુલાકાત દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે કેનાલોમાં કોઈ સફાઈ કરવામાં આવતી નથી, જેના પરિણામે કેનાલો ઓવરફ્લો થવી અને ગાબડાં પડવા સામાન્ય વાત બની ગઈ છે. ખેડૂતોએ માંગણી કરી છે કે પાણી છોડ્યા પહેલા તાત્કાલિક ધોરણે સફાઈ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે.

અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું

આ ગેરરીતિ અંગે જવાબ મેળવવા માટે જ્યારે Gujarat First દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે કચેરીના અધિકારીઓ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર નહોતા. એટલું જ નહીં, સંબંધિત SO અધિકારીએ પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. અધિકારીઓનું આ મૌન સ્પષ્ટપણે સૂચવે છે કે કેનાલમાં સફાઈ કે રિપેરિંગ કર્યા વિના પાણી છોડવાના અને સરકારી ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર કરવાના મામલે તેમની પાસે કોઈ યોગ્ય જવાબ નથી, જેના કારણે તેઓ મીડિયા સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી.

અહેવાલ - કમલેશ રાવલ

આ પણ વાંચો :   Jamnagar: રોકાણના બહાને 4 કરોડની મહાઠગાઈ, આ રીતે લોકોને છેતર્યા!

Tags :
Agriculture losses GujaratCanal cleaning scamCanal overflow farmland damageCanal repair negligenceDantiwada dam canal issueFarmers protest canal waterFarmers suffer crop damageGovernment grant misuseGujarat FirstGujarat irrigation department negligenceIrrigation canal corruption GujaratMisuse of irrigation fundsRural infrastructure corruption
Next Article