Dahod : ગરબાડામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનો શુભારંભ
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનાં અવસરે રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દાહોદના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
Advertisement
- સરદાર પટેલની 150 મી જન્મજયંતીનાં અવસરે જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન (Dahod)
- સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને દાહોદના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં આયોજન
- સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું : જશવંતસિંહ ભાભોર
Dahod : સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનાં (150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel) અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના (MP Jaswant Singh Bhabhor) અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી.

