Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ગરબાડામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનો શુભારંભ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનાં અવસરે રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દાહોદના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
dahod   ગરબાડામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનો શુભારંભ
Advertisement
  1. સરદાર પટેલની 150 મી જન્મજયંતીનાં અવસરે જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન (Dahod)
  2. સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને દાહોદના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં આયોજન
  3. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું : જશવંતસિંહ ભાભોર

Dahod : સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનાં (150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel) અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રાનું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના (MP Jaswant Singh Bhabhor) અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી.

આ પણ વાંચો - Banaskantha : હીરા નગરી તરીકે પ્રખ્યાત પાલનપુરમાં હીરા ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં

Advertisement

Advertisement

સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું : જશવંતસિંહ ભાભોર

સાંસદ જશવંતસિંહ ભાભોરની (MP Jaswant Singh Bhabhor) વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો. દીપ પ્રાગટ્ય કરીને શરુ થયેલા આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. એમની નેતૃત્વ શક્તિ અને સૂઝબૂઝને કારણે ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. સરદાર પટેલ ગુજરાત રાજ્ય માટે ગૌરવનું પ્રતીક છે. વધુમાં તેમણે હાલ સમગ્ર દેશમાં થઇ રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો. છેલ્લે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો - Junagadh : ખેડૂતોના ફોન ન ઉપાડવા મુદ્દે MLA અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા! Video વાઇરલ

Dahod માં આયોજિત કાર્યક્રમમાં આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત જિલ્લા (Dahod) પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ લીલી ઝંડી આપીને પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રામાં પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, સરપંચ, મામલતદાર, તાલુકા તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : રાહુલ ગારી, ગરબાડા

આ પણ વાંચો - ગુજરાત સાયબર સેન્ટરે આણ્યો 'The Ghost'નો અંત, ગુજરાતની મેગા સાયબર વિજય

Tags :
Advertisement

.

×