ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Election Result 2025 : ઈસુદાન ગઢવીના BJP પર આક્ષેપ, કહ્યું-અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ..!

ચૂંટણી પંચ પર પણ તેમણે આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, ચૂંટણી પંચે પણ આંખ આડે કાન કર્યા હતા...
03:08 PM Feb 08, 2025 IST | Vipul Sen
ચૂંટણી પંચ પર પણ તેમણે આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, ચૂંટણી પંચે પણ આંખ આડે કાન કર્યા હતા...
Ishudan_Gujarat_first
  1. ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન (Delhi Election Result 2025)
  2. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટી મોટી એજન્સીઓ લગાવી હતી : ઈસુદાન ગઢવી
  3. 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં નાંખી દીધા હતા : ઈસુદાન ગઢવી
  4. ઈસુદાન ગઢવીનો મતદારોને પૈસા આપવાનો ભાજપ પર આક્ષેપ

Delhi Election Result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરી સત્તા મેળવી છે. AAP ની હાર બાદ એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. દરમિયાન, ગુજરાત AAP નાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું (Isudan Gadhvi) નિવેદન પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો - Delhi Assembly Election Result : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- 'દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું'

ઈસુદાન ગઢવીનાં ભાજપ પર ગંભીર આક્ષેપ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Election Result 2025) AAP પાર્ટીની હાર બાદ ગુજરાત આપનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને બળાપો કાઢ્યો છે. તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરુદ્ધ મોટી મોટી એજન્સીઓને લગાવવામાં આવી હતી. છેલ્લા 6 માસ સુધી મુખ્યમંત્રીને જેલમાં નાંખી દીધા હતા. આ સાથે ઈસુદાન ગઢવીએ મતદારોને પૈસા આપવાનો ભાજપ પર ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. ઉપરાંત, ચૂંટણી પંચ પર પણ આક્ષેપ કરી કહ્યું કે, ચૂંટણી પંચે પણ આંખ આડે કાન કર્યા હતા.

આ પણ વાંચો - Delhi Elections 2025 : AAP નાં સૂપડા સાફ! કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેવા મોટા ચહેરાઓની કારમી હાર

'હવે પ્રજા વચ્ચે બમણાં જોરથી જઈને કામ કરીશું'

ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) આગળ કહ્યું કે, દેશમાં લોકશાહી છે અને લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે. દિલ્હીમાં જનાદેશ સ્વીકાર્ય છે. પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે પણ અમે કામ કરતા હતા અને સત્તા પર ન હોય ત્યારે પણ કરતા રહીશું. તેમણે કહ્યું કે, હવે પ્રજા વચ્ચે બમણાં જોરથી જઈને કામ કરીશું. તેમણે કહ્યું કે, ભાજપને મારી વિનંતી છે કે દિલ્હીમાં AAP સરકારે જે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે તેને યથાવત રાખે. મહિલાને 2500 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે પણ ચાલુ કરી દેજો. મહિલાઓ માટે જે બસ સેવા ફ્રી છે તેને પણ યથાવત રાખજો.

આ પણ વાંચો - કોણ છે જાયન્ટ કિલર Parvesh Verma, કેજરીવાલને કચડીને બનશે દિલ્હીના મુખ્યમંત્રી

Tags :
Aam Aadmi PartyArvind KejriwalBJPCongressDelhi Assembly Election Result 2025delhi election result 2025 liveGujarat FirstGujarat first top newsisudan gadhvipm narendra modiTop Gujarati News
Next Article