Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Devbhumi Dwarka: આરાભડા દરિયાકાંઠે તંત્રનું મેગા ડિમોલિશન, ધાર્મિક દબાણો દૂર કરાયા

દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર બુલડોઝરની ગર્જના સંભળાઈ છે. ઓખાના આરાભડા ગામે વહીવટી તંત્રએ પૂર્વ આયોજિત રીતે ધાર્મિક દબાણોને હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે. ભારે પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી.
devbhumi dwarka  આરાભડા દરિયાકાંઠે તંત્રનું મેગા ડિમોલિશન  ધાર્મિક દબાણો દૂર કરાયા
Advertisement
  • Dwarka ના આરાભડા ગામે તંત્રનું મેગા ડિમોલિશન
  • આરાભડામાં ધાર્મિક દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર
  • દરિયા કિનારા નજીકના 2 જેટલા દબાણો કરાયા દૂર
  • સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં કાર્યવાહી
  • મીઠાપુર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત
  • દ્વારકા બાદ હવે આરાભડા દરિયાકાંઠે તંત્રની મોટી તવાઈ

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં સરકારી જમીનો અને દરિયાકાંઠાના વિસ્તારોને દબાણમુક્ત કરવાનું અભિયાન વેગવંતુ બન્યું છે. દ્વારકા અને બેટ દ્વારકા બાદ હવે ઓખા (Okha) નજીક આવેલા આરાભડા (Arambhada) ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન (Mega Demolition) હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન દરિયાકિનારાની નજીક સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

Advertisement

Dwarka: ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા

વિગતો મુજબ, દરિયાકાંઠાથી અંદાજે 100 મીટરના અંતરે આવેલા 2 જેટલા ધાર્મિક દબાણોને (Religious Encroachments) વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા આ દબાણોને લઈ તંત્ર દ્વારા પૂર્વ આયોજિત રણનીતિ ઘડવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મીઠાપુર પોલીસ (Mithapur Police) અને ઉચ્ચ સરકારી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.

Advertisement

Dwarka_gujarat_first

અનધિકૃત બાંધકામો સામે તંત્રની કાર્યવાહી

સમગ્ર આરાભડા ગામ અને ડિમોલિશન સાઈટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને સરકારી મિલકતોની જાળવણીના ભાગરૂપે આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. દરિયાઈ પટ્ટી પર થતા અનધિકૃત બાંધકામો સામે તંત્રના કડક વલણને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરી દબાણો હટાવવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે

આ પણ વાંચો: તમામ ભારતીયોમાં 'મહાદેવનું DNA', જામિયાના VC મઝહર આસિફના નિવેદનથી વિવાદ!

Tags :
Advertisement

.

×