ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વરસાદથી Gujarat થયું જળબંબાકાર, રોડ અને રેલ સહિત હવાઈ માર્ગને પણ થઈ અસર

ગુજરાતમાં ભારે વરસાદથી મુસાફરી પર ભારે વિઘ્ન 8 જિલ્લાઓમાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો ફ્લાઈટ માટે સમયસર એરપોર્ટ પહોંચવા ખાસ સૂચના Gujarat: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને કારણે મુસાફરી વિમુક્ત...
11:10 AM Aug 27, 2024 IST | VIMAL PRAJAPATI
ગુજરાતમાં ભારે વરસાદથી મુસાફરી પર ભારે વિઘ્ન 8 જિલ્લાઓમાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો ફ્લાઈટ માટે સમયસર એરપોર્ટ પહોંચવા ખાસ સૂચના Gujarat: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને કારણે મુસાફરી વિમુક્ત...
Gujarat Heavy rains Update
  1. ગુજરાતમાં ભારે વરસાદથી મુસાફરી પર ભારે વિઘ્ન
  2. 8 જિલ્લાઓમાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ
  3. વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો
  4. ફ્લાઈટ માટે સમયસર એરપોર્ટ પહોંચવા ખાસ સૂચના

Gujarat: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને કારણે મુસાફરી વિમુક્ત રહેવી મુશ્કેલ બનતી જાય છે. રાજ્યના 22 સ્ટેટ હાઈવે પૂરતા પ્રમાણમાં પાણી ભરાવાથી બંધ થયા છે, જે અનેક વિસ્તારોને અવરોધિત કરી રહ્યા છે. આ ઉપરાંત, 549 પંચાયત હસ્તકના અને 37 અન્ય માર્ગો પણ ભારે વરસાદના કારણે બંધ છે. રસ્તા બંધ થવાથી ST સેવાને પણ મોટી અસર જોવા મળી છે, જેના કારણે 8 જિલ્લાઓમાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ કરવામાં આવી છે. દાહોદમાં સૌથી વધુ 15 રૂટ અને 242 ટ્રીપ રદ છે, જ્યારે મહીસાગરમાં 10 રૂટ પર 112 ટ્રીપ રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે પરેશાની રહેવાની છે.

આ પણ વાંચો:Vadodara railway division: ભારે વરસાદને પગલે રેલ વ્યવસ્થા ખોરવાઈ; આટલી ટ્રેનો કરાઈ રદ્દ, જોઈ લ્યો આ યાદી

36 ટ્રેન આણંદ અને ગોધરા મારફતે અમદાવાદ તરફ ડાયવર્ટ

વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 30 ટ્રેન રદ્દ કરવામાં આવી છે અને વડોદરાના બાજવા નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું છે. આ પરિસ્થિતિને કારણે 36 ટ્રેન આણંદ અને ગોધરા મારફતે અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ-આણંદ અને વડોદરા-આમદાબાદ મેમુ ટ્રેન રદ્દ કરવામાં આવી છે, અને 9 જેટલી ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવશે. ઉપરાંત, અમદાવાદ-વડોદરા ટ્રેન આણંદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

આ પણ વાંચો: AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન

અમદાવાદ એરપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી એક એડવાઇઝરી

નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ થયો છે. મૂશળધાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ અસર જોવા મળે છે. મુસાફરોને તેમની ફ્લાઈટ માટે સમયસર એરપોર્ટ પર પહોંચવા સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઈટ શિડ્યુલને લઈને ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેના થકી મુસાફરોને અંતિમ ક્ષણ સુધી વિગતો અને સુધારાઓ માટે હમેશા અવલંબિત રહેવું છે. નોંધનીય છે કે, એરપોર્ટ પહોંચતા પહેલાં મુસાફરોને પોતાની ફ્લાઈટ શિડ્યુલ ખાસ જોઈ લેવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આપેલા સૂચનોને માન્ય રાખો અને મુસાફરી કરતા પહેલાં તમારી યાત્રાની તૈયારી સંપૂર્ણ રીતે કરો તેવી સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: GPSC દ્વારા DYSO ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત, ઉમેદવારોને નડ્યો વરસાદ

Tags :
Ahmedabad AirportAhmedabad airport NewsGSRTCGSRTC busGujaratGujarat Rains UpdateGujarati NewsVimal PrajapatiWestern RailwayWheather ForecastWheather Report
Next Article