Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surendranagar : જ્યાં ગૌહત્યા રોકવાનો સંકલ્પ લીધો હતો, ત્યાંથી જ DYCM હર્ષભાઈ સંઘવીએ કરી મોટી જાહેરાત

Surendranagar: ઝાલાવાડ (Jhalavad) ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના (Dudhrej Vadwala Temple) પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું (Harshbhai Sanghavi) આગમન થયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલા લોક ડાયરામાં (Lok Dayro) હાજરી આપી નાયબ મુખ્યમંત્રીએ ભાવિકોને સંબોધિત કર્યા હતા અને મંદિરના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી.
surendranagar   જ્યાં ગૌહત્યા રોકવાનો સંકલ્પ લીધો હતો  ત્યાંથી જ dycm હર્ષભાઈ સંઘવીએ કરી મોટી જાહેરાત
Advertisement
  • Surendranagar ના દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) ની હાજરી 
  • વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા  માટે રુ.2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
  • DYCM હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) નો ગૌરક્ષાનો સંકલ્પ સિદ્ધ
  • 18 ગૌહત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલાયા
  • વડવાળાના આંગણેથી DYCM હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) એ આપ્યો આકરો સંદેશ
  • જૂના સંકલ્પો યાદ કરી ગૌ હત્યારાઓને આપી ચેતવણી

Surendranagar: ઝાલાવાડ (Jhalavad) ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના (Dudhrej Vadwala Temple) પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું (DYCM Harshbhai Sanghavi) આગમન થયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલા લોક ડાયરામાં (Lok Dayro) હાજરી આપી નાયબ મુખ્યમંત્રીએ ભાવિકોને સંબોધિત કર્યા હતા અને મંદિરના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી.

DYCM Harsh Sanghavi Surendranagar Visit- Gujarat first

Advertisement

દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) ની હાજરી

લોક ડાયરાના સ્ટેજ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધુ રુ. 2 કરોડની ગ્રાન્ટ (Development Grant) ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે શ્રદ્ધાપૂર્વક જણાવ્યું હતું કે, "બાપુ જે પણ કામ સૂચવશે, તે તમામ કામો અમે અગ્રતાના ધોરણે પૂર્ણ કરીશું." આ જાહેરાતથી વડવાળાના સેવકો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Advertisement

DYCM Harsh Sanghavi Surendranagar Visit- Gujarat first1

ગૌરક્ષાનો સંકલ્પ અને કડક કાર્યવાહી

પોતાના સંબોધનમાં હર્ષભાઈ સંઘવીએ જૂની યાદો તાજી કરતા કહ્યું કે, જ્યારે તેઓ પ્રથમ વખત અહીં આવ્યા હતા ત્યારે આ પવિત્ર ભૂમિ પરથી જ ગૌ હત્યારાઓ (Cow Slaughterers) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પના પરિણામ સ્વરૂપ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા (Life Imprisonment) ફટકારવામાં આવી છે, જેઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે. ગુજરાત સરકાર ગૌવંશના રક્ષણ માટે કટિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો :  Israel Iran Conflict : ફ્લાઈટની એક ટિકિટમાં તો લક્ઝરી કાર આવી જાય! એરલાઈન્સના ભાડામાં આટલો વધારો

Tags :
Advertisement

.

×