Gandhinagar News: કલોલમાં કપિરાજનો આતંક, 5 થી વધુ લોકોને ભર્યા બચકાં
ગાંધીનગરના કલોલ શહેરમાં એક કપિરાજે આતંક મચાવી એક જ દિવસમાં 5 થી વધુ લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા છે. GEB કચેરીમાં કર્મચારીઓ અને ગ્રાહકો પર હુમલો કર્યા બાદ અન્ય વિસ્તારોમાં પણ ત્રણ લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે ખાસ પાંજરું ગોઠવી કવાયત હાથ ધરવામાં આવી છે.
Advertisement
Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં હાલમાં કપિરાજના આતંકને કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કલોલ શહેરમાં એક જ દિવસમાં 5 થી વધુ લોકોને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કરતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

