Aravalli: મોડાસાના ખેતરોમાં જળબંબાકાર, મગફળી-સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ
અરવલ્લીના મોડાસા પંથકમાં અનરાધાર વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને ત્રાટક્યો છે. મડાસણા ગામમાં ખેતરોની સાથે હાઈવે પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. મગફળી અને સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત છે. પાણીના નિકાલના અભાવે આ વર્ષનું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા દેખાઈ રહી છે.
Advertisement
Aravalli Rain: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મડાસણા (Madasana) ગામે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં ખેતરો ઉપરાંત હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

