Morbi BJP resignation: મોરબી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ, ભાજપ મહામંત્રી નિર્મલભાઇ જારીયાનું રાજીનામું લેવાયું
મોરબી જિલ્લા ભાજપમાં એકાએક થયેલા સંગઠનાત્મક ફેરફારે રાજકીય ગરમાવો વધારી દીધો છે. જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને તેમના સ્થાને અરવિંદભાઈ વાસદડીયાની નિમણૂક કરવામાં આવી છે.
Advertisement
Morbi BJP resignation: મોરબી જિલ્લાના રાજકીય ફલક પર તાજેતરમાં થયેલા એક ફેરફારે જિલ્લા ભાજપમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવતા નિર્મલભાઇ જારીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ આકસ્મિક ઘટનાક્રમ બાદ તાત્કાલિક અસરથી અરવિંદભાઈ વાસદડીયાને નવા મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

