Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat IAS Transfer News: રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં બદલીઓનો દોર યથાવત રાખતા વધુ બે વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂકમાં ફેરફાર કરાયા છે. મંગળવારે 26 અધિકારીઓની બદલી બાદ, હવે આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ મહંમદ શાહીદને ગાંધીનગર ખાતે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ શાહમીના હુસેનને આદિજાતિ વિકાસ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. સતત બીજા દિવસે થયેલા આ ફેરફારોથી સચિવાલયમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
gujarat ias transfer news  રાજ્યના વધુ 2 ias અધિકારીઓની બદલી
Advertisement
  • રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી ( Gujarat IAS Transfer News)
  • અગ્રસચિવ મહંમદ શાહીદની કરાઈ બદલી
  • કમિશ્નર કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી
  • અગ્રસચિવ શાહમીના હુસેનને વધારાનો હવાલો સોંપાયો
  • આદિજાતી વિભાગનો વધારાનો હવાલો સોંપાયો
  • મંગળવારે મોડી સાંજે 26 IASની થઈ હતી બદલી

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોનો સિલસિલો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે 26 જેટલા IAS અધિકારીઓની બદલીના ( IASTransfer) આદેશ બાદ આજે વધુ બે વરિષ્ઠ IAS અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. જેમાં અગ્રસચિવ મહંમદ શાહીદ (Mohammad Shahid)  અને શાહમીના હુસેનનો (Shahmeena Hussain)  સમાવેશ થાય છે.

Gujarat IAS Transfer News: 1998 બેંચના IAS  મહંમદ શાહીદની કરાઇ બદલી

નોંધનીય છે કે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા 1998 બેંચના IAS  મહંમદ શાહીદ ની બદલી કરવામાં આવી છે. તેમને હવે ગાંધીનગર ખાતે કમિશનર, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage and Rural Industries) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત IAS શાહમીના હુસેને પણ આદિજાતિ વિકાસ વિભાગની વધારાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

Advertisement

Gujarat IAS Transfer News: અગ્રસચિવ શાહમીના હુસેને સોંપાયો વધારાનો ચાર્જ

ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શાહમીના હુસેન ને નવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મહંમદ શાહીદની બદલી થતાં ખાલી પડેલા આદિજાતિ વિકાસ વિભાગ (Tribal Development Department) ના અગ્રસચિવ તરીકેનો વધારાનો હવાલો હવે શાહમીના હુસેનને સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાના હાલના વિભાગની સાથે આ જવાબદારી પણ સંભાળશે.

મંગળવારના મોટાપાયે IASની બદલી કરવામાં આવી હતી

નોંધનીય છે કે ગઈકાલે એટલે કે મંગળવારે મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા ૨૬ જેટલા IAS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. આ ફેરબદલમાં અનેક જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ કરવામાં આવી હતી. આ મોટા ફેરફારના બીજા જ દિવસે વધુ બે અધિકારીઓની ફેરબદલ થતા સચિવાલયમાં બદલીઓનો ગણગણાટ તેજ બન્યો છે.

આ પણ વાંચો:  IAS Transfer: ગુજરાતમાં 26 IAS અધિકારીઓની બદલીનો આદેશ, વાંચો

Tags :
Advertisement

.

×