Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News: નવા વર્ષના પ્રારંભે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Gujarat News: વર્ષ 2026 ના પ્રથમ દિવસે ગુજરાતભરમાં ભક્તિનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ગુજરાતના વિવિધ યાત્રાધામો અને મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. ભક્તોએ નવા વર્ષની શરૂઆત ભગવાનના ચરણોમાં કરીને શાંતિ, સુખ, સમૃદ્ધિ અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
gujarat news  નવા વર્ષના પ્રારંભે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Advertisement
  • નવા વર્ષે ભક્તિનો માનવ સાગર
  • ગુજરાતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
  • ભગવાન અને માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
  • ભક્તોએ આવનારા વર્ષમાં સુખ-શાંતિની કામના કરી

Gujarat News: વર્ષ 2026 ના પ્રથમ દિવસે ગુજરાતભરમાં ભક્તિનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ગુજરાતના વિવિધ યાત્રાધામો અને મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. ભક્તોએ નવા વર્ષની શરૂઆત ભગવાનના ચરણોમાં કરીને શાંતિ, સુખ, સમૃદ્ધિ અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ તહેવારી વાતાવરણમાં મંદિરોના પરિસરો જયકારો અને આરતીના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

સોમનાથ મંદિરમાં ભક્તોનું વિશાળ માનવ સાગર છલકાયું

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું વિશાળ માનવ સાગર છલકાયું હતું. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા, અને શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ હજારો ભક્તોએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિર પરિસર "હર હર મહાદેવ"ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ વીતેલા વર્ષમાં બનેલી દુઃખદ ઘટનાઓ જેમ કે પ્લેન ક્રેશ, યુદ્ધ, હિંસા અને કુદરતી આપત્તિઓ ફરી ન બને તેવી ભાવપૂર્ણ પ્રાર્થના કરી હતી. તેઓએ 2026 નું વર્ષ દેશ અને દુનિયા માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ લઈને આવે તેવી કામના કરી હતી. આ ઉપરાંત, ભક્તોએ દેશભરમાં શાંતિમય માહોલ રહે, સૌહાર્દ અને એકતા વધે તેમજ ભારત દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી પ્રાર્થના અર્પણ કરી હતી. વિશ્વપટલ પર ભારતનું સ્થાન પ્રથમ રહે અને તેની પ્રતિષ્ઠા વધે તેવી અર્ચના પણ કરવામાં આવી હતી.

Advertisement

સોમનાથ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ રાષ્ટ્રની સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી હતી. આ દર્શનથી ભક્તોમાં નવી આશા, ઉર્જા અને વિશ્વાસનું સંચાર થયું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ, શ્રદ્ધા અને આશાનો સંગમ જોવા મળ્યો હતો.

Advertisement

શામળાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં માઈભક્તોએ આરતીના દર્શન કર્યા અને તેનો લ્હાવો લીધો હતો. ભક્તોએ આવનારું વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરી હતી. ગુજરાત ફર્સ્ટ જેવા માધ્યમો પર શામળિયાના દર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનાથી વધુ લોકોને ભક્તિમય વાતાવરણનો અનુભવ થયો હતો.

પાવગઢમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપુર

પંચમહાલના યાત્રાધામ પાવગઢમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા અને તેઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોએ લ્હાવો લીધો હતો, અને મંદિર પરિસર તેમજ ડુંગર "જય માતાજી"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ નવા વર્ષનો પ્રારંભ માતાજીના દર્શનથી કરીને ધન્યતા અનુભવી હતી.

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં માઈભક્તોએ આરતીના દર્શન કર્યા અને તેનો લ્હાવો લીધો હતો. ભક્તોએ આવનારું વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરી હતી.

ભદ્રકાળી મંદિરે નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ

અમદાવાદના ભદ્રકાળી મંદિરે નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરની નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, અને તેઓએ આવનારું વર્ષ સારું રહે તે માટે આશીર્વાદ લીધા હતા. ભક્તોએ ભદ્રકાળીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરમાં પણ નવા વર્ષે ભક્તો ઉમટી પડ્યા

રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરમાં પણ નવા વર્ષે ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે ભક્તોએ દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. બાલાજી હનુમાન દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી માન્યતા છે, અને અનેક લોકો દાદાની માનતા રાખીને પગપાળા પણ દર્શનાર્થે આવે છે. આ વર્ષે પણ ભક્તોએ હનુમાનદાદાના સાનિધ્યમાં નવા વર્ષની શરૂઆત કરીને ઉત્સાહ અનુભવ્યો હતો.

આ પણ વાંચો: Studio on Wheels: મા અંબાના આશીર્વાદ સાથે નવી શરૂઆત, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચશે ગુજરાત ફર્સ્ટ

Tags :
Advertisement

.

×