Gujarat News Today : ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજનમા હાજરી આપશે. ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માય ભારત દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો સંદેશ કાર્યક્રમમાં આપવામાં આ આવશે. ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યની વરસાદની પરિસ્થિતિને લઈને બેઠકો યોજાશે.
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ નજીક ₹64 લાખના 600 ગ્રામ સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસ કર્મચારીઓ સહિત 6 આરોપીઓની સંડોવણી ખુલી છે. એરપોર્ટ વિસ્તારમાં વેપારીઓને ખોટી પોલીસ ઓળખ આપી 600 ગ્રામ સોનું લૂંટીને ફરાર થઈ ગઈ હતી. લૂંટ ગુનામાં એક પોલીસ કર્મચારીઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં ડાંગ પોલીસમાં ફરજ બજાવતાં કૃપારાવ જહોનબાબુ દેવૈયાની ધરપકડ થઈ છે, ઉપરાંત અન્ય આરોપી બેન પારૂલ ઉર્ફે રુપાલી અને નટવરભાઇ ભોજાભાઇ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ સંબોધન દ્વારા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ નો દેશવ્યાપી પ્રારંભ કરાવશે જે સંદર્ભે નીચેની વિગતે આયોજિત કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટના પ્રવાસે છે. બપોર બાદ રાજકોટ શહેરમાં યોજાનારા અલગ અલગ ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે. પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સાંજે 4:30 કલાકે અટલ બિહારી વાજપાય એડિટર ખાતે યોજાશે. ત્યારબાદ મુખ્યમંત્રી રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સાંજે 5:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એડીટોરિયલ ખાતે યોજાશે. અહીંયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 94.42 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 13 પ્રકલ્પોનું લોકાર્પણ કરશે તેમજ 153.35 કરોડના ખર્ચે અત્યાર થનારા 13 પ્રકલ્પોનું ખાત મુહૂર્ત કરશે.
નવસારી
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સૌથી વધુ ભાવ આપતી ગણદેવી ખાંડ સહકારી મંડળીની આજે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી છે. જેમાં બે પેનલ દ્વારા રસાકસી ભર્યા જંગનો આજે અંત આવશે, 100 કરોડના પ્લાન્ટના નિષ્ફળતાના મુદ્દે લડાતી આ ચૂંટણીમાં ખેડૂતો કઈ પેનલને વિજય અપાવે છે.
પંચમહાલ – નામદેવ પાટીલ
નર્મદા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા ક્રુઝ બોટમાં નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. આજે 600 સીટર એક બીજી ક્રુઝ બોટનું લોકાર્પણ કરવામાં આવશે. ગોરા પુલ નજીક આ બોટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે પ્રવાસીઓ માટે બીજી ક્રુઝ બોટ પણ નર્મદા નદી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફરતી જોવા મળશે.
આ પણ વાંચો : Gujarat Rain 2026 : રાજયમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો