Gujarat News Today: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા 'ડેટા સેન્ટર પોલિસી 2026-2029 નું અનાવરણ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત અને અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું ઉદ્ઘાટન મુખ્ય આકર્ષણ રહેશે. બીજી તરફ, મુખ્યમંત્રી પૂરગ્રસ્ત નવસારી-વલસાડનું હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરશે. પોરબંદરમાં ૪૧ હોસ્પિટલો સામે કાર્યવાહીની તજવીજ તેજ બની છે.
ગાંધીનગર
વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 નું અનાવરણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આજે મુખ્ય કન્વેન્શન હોલ મહાત્મા મંદિરમાં ગાંધીનગર ખાતે યોજાશે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. બસ એન્ડ કાર ઓપરેટર કોનફ્રેન્ડ્રેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહ હાજર રહેશે.
અમદાવાદ
આજે વાહન વ્યવહાર કચેરી સુભાષબ્રિજ પાસે નવી આર ટી ઓ કચેરીનું ઉદ્ઘાટન છે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 1અમદાવાદ શહેરમાં 226 જેટલી શાળાઓ દ્વારા હજુ સુધી સરકારી ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કર્યો તે અંગે માહિતી નથી આપી. જેને લઇને ફરી એકવાર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અગાઉ શહેરની 400 જેટલી શાળાઓ હતી જેમાંથી હજુ સુધી 200 જેટલી શાળાઓ દ્વારા ખુલાસો નથી કરવામાં આવ્યો છે, જેથી કારણે નોટિસ આપવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદ ખેતીબેંક 75 વર્ષ ઉજવણી ભાગ રૂપે આજે ગુજરાતન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હસ્તે બેંકમાં 25 વર્ષ સેવા આપતા કર્મચારી સન્માનિત કરવામાં આવે છે.
રાજકોટ
આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આઠ જેટલી સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. સિંચાઈ, બાંધકામ, આરોગ્ય જેવી મહત્વની ગણાતી સમિતિઓના ચેરમેન બનવા માટે ગાંધીનગર સુધી લોબિંગ કરાયું. અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
જામનગર
વર્ષ 2022 થી આશા વર્કરોના માનદવેતનમાં વધારો કરાયો નથી અને પડતર માગણીઓ ન ઉકેલતા દેશ વ્યાપી આંદોલન અંતર્ગત જામનગરમાં પણ લાલ બંગલા સર્કલ ખાતે બપોરે 11 વાગ્યે 200 થી વધુ આંગણવાડી વર્કરો દ્વારા સામુહિક ધરણા કરવામાં આવશે.
બોટાદ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરના તમામ મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં, રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને વરસાદ થતા ખાડાઓ મા પાણી ભરાતા શહેરીજનો અને વાહનચાલકો હેરાન-પરેશાન, કેટલાક વાહનચાલકો પડે છે.
વલસાડ
ભારે વરસાદના પગલે વલસાડના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે આજે વલસાડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વલસાડના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
ખેડા
ડાકોરમાં 254 ની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભગવાન રાજા રણછોડ રથમાં સવાર થઈને નગર ચર્ચાએ નીકળશે. રથયાત્રાની તૈયારીઓમાં ભગવાનના રથને કલરકામ અને અન્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી.
પોરબંદર
ભૂતકાળના ચેરમેનોના પાપે 41 હોસ્પિટલો પર આખરી નોટિસો અપાઈ છે પોરબંદરમાં 41 હોસ્પિટલો બી.યુ. પરમિશન વિના ચાલતી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.ત્રણ નોટિસ બાદ મનપાએ આખરી નોટિસ ફટકારતાં કાર્યવાહી તેજ બનવાની શક્યતા છે. હોસ્પિટલોના નામ જાહેર ન થતાં પારદર્શિતા અને તંત્રની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠ્યા છે.બી.યુ. વિના ચાલતી હોસ્પિટલોમાં દુર્ઘટના સર્જાય તો દર્દીઓની સુરક્ષા અને જવાબદારીનો મુદ્દો પણ ગંભીર બન્યો છે.
નવસારી
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે આવશે અને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. આ સાથે નવસારી જિલ્લાના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી કેસ ડોલ ચુકવણી પણ કરશે.
આ પણ વાંચો : Rashifal 09 july 2026 : આજે આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા ! જાણો તમારુ રાશિફળ