Gujarat News Today : આજે 11 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today : રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સામે આવેલા અહેવાલો મુજબ, ગાંધીનગરથી લઈને સુરત સુધીની મહત્ત્વની ઘટનાઓ અને સમાચાર અહીં રજૂ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે , 3,850 કરોડની રકમનો ચેક અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરી આપશે.
રાજકોટ
ખાધ્ય તેલમાં ભાવમાં ફરી વધારો થયો છે, જન્માષ્ટમી તહેવાર પહેલા વધારો થતાં ફરસાણ અને મીઠાઈના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. ત્યારે આજે વેપારીની બાઈટ સાથે સ્ટોરી, સીંગતેલમાં 35 જ્યારે કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.
જામનગર
જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકા હસ્તકના ગામોમાં તા.12 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે, વિરમગામ નજીક સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા નર્મદા આધારિત યોજનાને અસર, ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત્ શરૂ કરવામાં આવશે.
ખેડા
કપડવંજ તાલુકાના થવાદ સહીતના ગામોમાં મગફળી પકવતા ખેડૂતોને ફૂગનાશક દવા ફેલ જવાના કારણે પાક નિષ્ફળ ગયો. આશરે 400 જેટલા વીઘામાં મગફળીનો પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે આ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. દવા ના છન્ટકાવ બાદ નુકશાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના બાકરથળી અને આસપાસના ગામોમાં ભારે વરસાદના કારણે અંદાજે 2000 વિઘાથી વધુ જમીનમાં પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેતા કપાસ, અડદ, તલ અને જુવાર સહિતના પાક કાળા પડી ગયા છે. ખેડૂતોએ કરેલો તમામ ખર્ચ પણ માથે પડે તેવી શક્યતા છે અને ખેડૂતોને મોટું આર્થિક નુક્શાન સહન કરવાનો વારો આવશે.
મહીસાગર
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રાજપુર ગામે માલિકીની જમીન હોવા છતાં સરપંચ દ્વારા અતિ ગરીબ વ્યક્તિને છેલ્લા ચાર માસથી હેરાન ગતિ કરી માલીકીની જગ્યા સરકારી જગ્યા હોવાને લઈ કબજો કરે લેવામાં આવ્યો છે. ત્યારે સરપંચ દ્વારા ખોટા લેટરપેડનો ઉપયોગ કરી હેરાન કરતા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સરપંચ દ્વારા ગરીબ વ્યક્તિની જમીન પચાવતા ગ્રામજનો તેમની વાહરે આવ્યા છે
ગીર સોમનાથ
ગીર સોમનાથમાં હવે ફરી એકવાર દરિયો માછીમારો માટે રોજગારીના દ્વાર ખોલવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ થી માછીમારીની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે વેરાવળ બંદર પર માછીમારોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન ડેમેજ થયેલી બોટોની મરામત તેમજ માછીમારીની જાળ રીપેર કરવામાં આવી રહી છે. વેરાવળ બંદર પર અંદાજે 5 હજાર બોટો લાંગરાયેલી છે અને તમામ બોટોને દરિયામાં ઉતારવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. બોટોની મરામતના કામથી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે.
વેરાવળ જુનાગઢ હાઇવે પરનો પુલ બેસી ગયો. વેરાવળ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગનો પુલ બેસી જતા ભારે હાલાકી, શહેરમાં પ્રવેશવાનો મુખ્ય પુલ નો એક ભાગ બેસી જતા હાલ પાલિક દ્વારા પુલ પર ની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે.
સુરત
દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી સાયણ સુગર ચૂંટણીનું આજે પરિણામ, જીતના દાવાઓ કરતા ઉમેદવારોના પાણી મપાઈ જશે, સવારથી જ મત ગણતરી શરૂ થશે.
આ પણ વાંચો : Ahmedabad Car Glass Theft : ચાંદખેડામાં ચોર બેફામ, કારનો કાચ તોડી ₹3 લાખ રોકડા ચોર્યા

