Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iran Israel War : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ, સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની જ્વાળાઓ હવે ગુજરાત સુધી પહોંચી છે. યુદ્ધના કારણે હવાઈ માર્ગો પ્રભાવિત થતા સાઉદી અરેબિયાના એરપોર્ટ પર અનેક ગુજરાતી મુસાફરો અટવાયા હોવાના ગંભીર સમાચાર મળી રહ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે સરકાર પાસે મદદ માટે અપીલ કરી છે.
iran israel war   ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ  સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા
Advertisement
  • Iran Israel War માં અનેક ગુજરાતી મુસાફરો સાઉદીમાં અટવાયા
  • ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ X પર પોસ્ટ કરી મદદ માંગી
  • ઈરાનના 6 શહેરો પર ઈઝરાયલ-અમેરિકાના ભીષણ હુમલા
  • ભારતીય દૂતાવાસે નાગરિકોને શેલ્ટર હોમ નજીક રહેવા આપી સૂચના
  • કટોકટી માટે વિદેશ મંત્રાલય દ્વારા 24 કલાકની હેલ્પલાઈન શરૂ

Iran Israel War : મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે. ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન (Iran-Israel War) પર જોરદાર હુમલો કરતા તેહરાન સહિત છ મોટા શહેરોના 30થી વધુ સ્થળો ધણધણી ઉઠ્યા છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર હવે નિર્દોષ મુસાફરો અને વિદેશમાં વસતા ભારતીયો પર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના જમાલપુર-ખાડિયા (Jamalpur-Khadia) વિસ્તારના અનેક ગુજરાતીઓ હાલ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Advertisement

Iran Israel War : ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ (Imran Khedawala) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને ભારત સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિને કારણે ફ્લાઇટ ઓપરેશન ખોરવાયા છે, જેના લીધે અનેક ગુજરાતી પરિવારો સાઉદીમાં અટવાયા છે. ખેડાવાલાએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે દરેક ભારતીય નાગરિકની સુરક્ષા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ અને તેમને હેમખેમ પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

Advertisement

 ભારતીય દૂતાવાસની એડવાઇઝરી (Indian Embassy Advisory)

બીજી તરફ, ઇઝરાયલમાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે કડક સૂચનાઓ જારી કરી છે. દૂતાવાસે તમામ નાગરિકોને સ્થાનિક 'હોમ ફ્રન્ટ કમાન્ડ'ના નિયમોનું પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા જણાવ્યું છે. સુરક્ષા શેલ્ટર (Security Shelters) ની નજીક રહેવા અને સાયરન વાગતા જ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. કોઈપણ કટોકટી માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર +972-54-7520711 પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : Dakor: રંગબેરંગી લાઈટોથી સજાવાયું રણછોડરાયનું મંદિર, શણગારથી દીપી ઉઠ્યું યાત્રાધામ

આ પણ વાંચો : Bhavnagar : માત્ર રૂ. 70 ની લાંચ લેતા ગ્રામ પંચાયતનો VC ઝડપાયો

Tags :
Advertisement

.

×