Jantri Rate in Gujarat : 1 લી એપ્રિલથી નવી જંત્રીનો અમલ થશે ? આવ્યા મહત્ત્વનાં સમાચાર
અગાઉ સરકારને જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા.
Advertisement
- રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મહત્ત્વના સમાચાર (Jantri Rate in Gujarat)
- રાજ્યમાં 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ નહીં થાય!
- અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરોમાં નારાજગીને કારણે નિર્ણય મોકૂફ
- નવેમ્બર-2024 માં જંત્રીનાં ભાવ વધારાની કરાઈ હતી જાહેરાત
Gandhinagar : રાજ્યમાં જંત્રીનાં નવા દરોની અમલવારીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલથી રાજ્યમાં નવી જંત્રીની (Jantri Rate in Gujarat) અમલવારી થવાની છે એવી ચર્ચાઓ વચ્ચે હવે જંત્રીનાં નવા દરો લાગુ કરવામાં હજું પણ વિલંબ થવાનાં સમાચાર સામે આવ્યા છે. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરોમાં નારાજગી સહિતનાં વિવિધ કારણોસર સરકાર દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

