Rajkot: જસદણના આંબરડી ગામે ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષકનો આપઘાતથી ચકચાર
જસદણના આંબરડી ગામે એક શિક્ષિત દંપતીના હસતા-રમતા સંસારમાં અચાનક એવો વજ્રઘાત થયો કે ૨૫ વર્ષના યુવાન શિક્ષકે ગળાફાંસો ખાઈ લીધો. પત્ની સરકારી શાળામાં અને પતિ પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવતા હોવા છતાં, બંધ બારણે એવી કઈ ગંભીર સમસ્યા આ યુવાનને કોરી ખાતી હતી કે તેણે આ અંતિમ પગલું ભરવું પડ્યું, તે રહસ્ય હજુ પણ પોલીસ ફાઈલોમાં કેદ છે.
Advertisement
Rajkot Teacher Suicide Case: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામેથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી શાળામાં ફરજ બજાવતા એક યુવાન શિક્ષકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત (Teacher Suicide Case) કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવાનની ઉંમર માત્ર ૨૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

