Gondal માં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, 1500થી વધુ વિદ્યાર્થિનીઓએ નિહાળ્યો કાર્યક્રમ
વિજ્ઞાન જાથાનો જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 1500થી વધુ શાળા-કોલેજની છાત્રાઓ ભાગ લીધો છાત્રાલયની વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવવા માટે કરાયો પ્રયાસ Gondal: ગોંડલ (Gondal) લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે.એમ.કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત...
Advertisement
- વિજ્ઞાન જાથાનો જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- 1500થી વધુ શાળા-કોલેજની છાત્રાઓ ભાગ લીધો
- છાત્રાલયની વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવવા માટે કરાયો પ્રયાસ
Gondal: ગોંડલ (Gondal) લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે.એમ.કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. યુ.એલ.ડી છાત્રાલયના વિશાળ પટાંગણમાં વિજ્ઞાન જાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપી હતી. જાથાનો આ 10,045 મો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

