Jawaharbhai Chavda: બેરોજગારી અને પેપરલીક મુદ્દે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા શું બોલ્યા?
Jawaharbhai Chavda: ગુજરાતના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ છે, રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ છે. વારંવાર પેપરલીક અને ખોટી પસંદગી પદ્ધતિઓથી યુવાનોમાં હતાશા-આક્રોશ વધ્યો છે.
Advertisement
- પૂર્વ મંત્રી Jawaharbhai Chavda નું મોટું નિવેદન
- બેરોજગારી, પેપરલીક સહિત કારણોથી યુવાનોમાં હતાશા
- આઠ માસમાં યુવા વર્ગ સાથે થયેલા સંવાદના મુદ્દા શેર કર્યાં
- સોશિયલ મીડિયામાં વીડિયો મારફત મુદ્દા રજૂ કર્યાં
- સરકારી વિભાગોમાં અનેક સમસ્યાઓ છેઃ જવાહરભાઈ ચાવડા
- "યુવા વર્ગ મહેનતુ અને લાયક હોવા છતાં, બેરોજગાર છે"
- "વારંવાર પેપર લીક થવાના કારણે યુવા વર્ગ હતાશ છે"
Jawaharbhai Chavda Statement:ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર બેરોજગારી અને સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર થતા પેપરલીકનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ સરકારની કામગીરી પર સીધા અને આકરા પ્રહાર કરતું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.

