Junagadh: મ્યુલ એકાઉન્ટ ફ્રોડના મામલે મોટો ખુલાસો, ભવનાથ આશ્રમની ગૌશાળામાં ગેરરીતિ!
- જૂનાગઢમાં (Junagadh) મ્યુલ એકાઉન્ટ અંતર્ગત કાર્યવાહી
- કલ્યાણગીરીએ 41 લાખની ફ્રોડ રકમ ઉપાડી
- ગૌશાળા સંચાલકની સાયબર ફ્રોડમાં સંડોવણી
- ભવનાથ આશ્રમની ગૌશાળામાં ગેરરીતિના આક્ષેપ
- ઓપરેશન મ્યુલ હન્ટમાં સાધુ ઝડપાયો
- જૂનાગઢમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
Junagadh: રાજ્યમાં સાયબર ફ્રોડના કેસોમાં મ્યુલ એકાઉન્ટ્સનો વપરાશ વધી રહ્યો છે, અને દરરોજ લાખો રૂપિયાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે જુનાગઢમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં મ્યુલ એકાઉન્ટ ફ્રોડ કેસમાં સાધુની ધરપકડ કરવામાં આવી હતી. તે સાધુના વેશમાં રહીને મ્યુલ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરતો હતો. આ મામલે મોટો ખુલાસો થયો છે.
જૂનાગઢમાં (Junagadh) મ્યુલ એકાઉન્ટ ફ્રોડના મામલે મોટો ખુલાસો
જૂનાગઢમાં સાયબર ફ્રોડના મુખ્ય કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ધાર્મિક આડમાં છુપાયેલા ગુનાહિત તત્વોનો પર્દાફાશ થયો છે. તાલુકા પોલીસે કેરળા ગામ પાસેની એક ગૌશાળાના વડા કલ્યાણગીરી (અસલી નામ કેતન સિદ્ધપરા)ને પકડી લીધા છે. આ વ્યક્તિ ભગવાનના વેશમાં રહીને મ્યુલ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરતો હતો અને તેના ત્રણ બેંક ખાતાઓમાં ફ્રોડની રકમ જમા કરાવીને લગભગ 41 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ ખાતાઓ સામે આઠ જેટલી ફરિયાદો નોંધાઈ છે.આ ગૌશાળા ભવનાથ વિસ્તારમાં આવેલા અવધૂત આશ્રમના તંત્ર હેઠળ કાર્યરત હતી, અને પ્રારંભિક તપાસમાં ટ્રસ્ટમાં પણ અનિયમિતતાઓના સંકેત મળ્યા છે. આ સમગ્ર મામલો 'ઓપરેશન મ્યુલ હન્ટ'ના ભાગરૂપે તપાસાયો છે, જેમાં જૂનાગઢમાં અલગથી આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકોએ મ્યુલ ખાતાઓને ભાડે આપીને કરોડો રૂપિયાની હેરફેર કરી હતી.
સાયબર ફ્રોડના કેસોમાં મ્યુલ એકાઉન્ટ્સનો વપરાશ
રાજ્યમાં સાયબર ફ્રોડના કેસોમાં મ્યુલ એકાઉન્ટ્સનો વપરાશ વધી રહ્યો છે, અને દરરોજ લાખો રૂપિયાની ફરિયાદો સામે આવી રહી છે. આ કેસમાં સાધુની સંડોવણીએ ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોમાં ચાલતી સંભવિત અનિયમિતતાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા છે, જેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો: Rajkot: SNSD સ્કૂલને ફટકારવામાં આવ્યો એક લાખ રૂ.નો દંડ, સ્કૂલ બંધ કરવા ભલામણ


