ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચ્છના સિયાણામાં હર્ષ સંઘવીની હાજરીમાં લોક દરબાર; દારૂ-જૂગાર વિશે ઉઠ્યા પ્રશ્નો

દારૂ-જૂગાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ, સિયાણના લોકોએ CCTV માટે રજૂઆત કરી
05:44 PM Jul 24, 2025 IST | Mujahid Tunvar
દારૂ-જૂગાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ, સિયાણના લોકોએ CCTV માટે રજૂઆત કરી

કચ્છના સિયાણ ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં લોકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીની ઉપસ્થિતિના કારણે મોટી સંખ્યામાં લોકો લોક દરબારમાં ઉમટી પડ્યા હતા.

આ લોક દરબારમાં હર્ષભાઈ સંઘવી સામે અરજદારોએ ગ્રાઉન્ડ ઉપર રહેલી વિવિધ સમસ્યાઓ વિશે ખુલ્લા મનથી રજૂઆત કરી હતી. તો બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા પણ આવેદનકર્તાઓને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે.

જણાવી દઈએ કે, હર્ષ ભાઈની હાજરીમાં સમાજમાં ચાલી રહેલા દારૂ-જૂગારની સમસ્યાઓ ઉપર રજૂઆત કરીને તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાન કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. તો સામાન્ય જનતાની સુરક્ષાને લઈને સીસીટીવી લગાવવા માટે પણ રજૂઆતો થઈ હતી.

એકથી વધારે અરજદારો દ્વારા વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હર્ષ સંઘવીને રજૂઆતો કરી હતી. આ દરમિયાન લોકોએ પોલીસ દ્વારા કરવામાં આવેલા કેસોના ડિટેક્શન બાબતે પણ વાત થઈ હતી. આ બાબતે સિયાણના લોકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.

આ લોક દરબારમાં જૈન સમાજ તેમજ અગ્રવાલ સમાજ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કચ્છમાં દારૂ સામે જંગ

આ લોક દરબારના એક દિવસ પહેલાં, 23 જુલાઈ 2025ના રોજ, હર્ષ સંઘવીએ કચ્છમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેની ચર્ચા પણ X પર થઈ. આ ઘટના દર્શાવે છે કે ગુજરાત સરકાર દારૂ, ડ્રગ્સ અને જૂગાર જેવી સામાજિક બદીઓ સામે કડક પગલાં લઈ રહી છે. સિયાણના લોક દરબારમાં આ મુદ્દે થયેલી ચર્ચા ગુજરાત સરકારની આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

કચ્છના સિયાણ જેવા ગ્રામીણ વિસ્તારોમાં દારૂ અને જૂગાર જેવી સમસ્યાઓએ સ્થાનિક સમુદાયની શાંતિને ખલેલ પહોંચાડી છે. આ લોક દરબાર ગુજરાતના વાચકો માટે મહત્ત્વનો છે, કારણ કે તે રાજ્ય સરકારની લોકો સાથે સીધી વાતચીત અને સમસ્યાઓના નિરાકરણની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાસ કરીને, ગુજરાતમાં મહિલાઓ અને યુવાનોની સુરક્ષા માટે CCTV અને પોલીસ પેટ્રોલિંગની માંગ વધી રહી છે, જે આ લોક દરબારમાં પ્રતિબિંબિત થયું.

આ પણ વાંચો- Adani University : અદાણી યુનિવર્સિટીનું ‘નવીદિક્ષા 2025’ સાથે ભાવિ ઘડતર-તૈયાર સમૂહમાં પદાર્પણ

Tags :
Alcohol and GamblingHarsh SanghviKutch Lok DarbarSiyanWomen's Safety
Next Article