Narmada: સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, ટ્રાયબલ યુનિ. કમિટીમાં નિમણૂંક અંગે સવાલ ઉઠાવ્યા
સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. ટ્રાયબલ યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોને બદલે અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક થતા તેમણે પ્રદેશ પ્રમુખને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. આ નિમણૂકોમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લેતા અને આદિવાસી વિસ્તારોની અવગણના થતા મનસુખ વસાવાએ સંગઠનાત્મક માળખા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Advertisement
Narmada Mansukh Vasava: નર્મદા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે ટ્રાયબલ યુનિવર્સિટી (Tribal University) માં કરવામાં આવેલી કમિટીની નિમણૂકોને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવા તેમના બેબાક નિવેદનો અને પત્રો માટે જાણીતા છે, અને આ લેટર બોમ્બથી ભાજપના આંતરિક વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે.

