MGNREGA Scam : કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાને HC થી મોટો ફટકો!
- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાના જામીન રદ કરાયા (MGNREGA Scam)
- મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિતનાં આરોપીનાં જામીન રદ
- હાઇકોર્ટે હીરા જોટવા સહિત આરોપીઓનાં જામીન ફગાવ્યા
- સુપ્રીમ કોર્ટ જવા માટે આરોપીઓએ 15 દિવસનો સમય મેળવ્યો
Bharuch : ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં (MGNREGA Scam) ભરૂચમાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ જોટવાને (Hirabhai Jotva) હાઈકોર્ટથી મોટો ફટકો લાગ્યો છે. હાઈકોર્ટે હીરાભાઈ જોટવાના જામીન રદ કર્યા છે. હીરાભાઈ જોટવા સહિતના આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે. જો કે, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જવા માટે આરોપીઓએ હાઇકોર્ટ પાસે 15 દિવસનો સમય મેળવ્યો છે. હીરાભાઈ જોટવા તેમના પુત્ર સહિત મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે ભરૂચ મુખ્ય સરકારી વકીલે અપીલ કરી હતી.
MGNREGA Scam માં હીરાભાઈ જોટવા સહિતના આરોપીનાં જામીન રદ
ગુજરાતમાં બહુચર્ચિત કરોડોનાં મનરેગા કૌભાંડને (MGNREGA Scam) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં ભરૂચનાં કોંગ્રેસનાં (Congress) પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ જોટવા સહિતનાં આરોપીઓનાં જામીન હાઇકોર્ટે ફગાવ્યા છે. હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા હીરાભાઈ જોટવા સહિતનાં લોકોને મોટો ફટકો લાગ્યો છે. જો કે, આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં જવા માટે હાઇકોર્ટ પાસે 15 દિવસનો સમય મેળવ્યો છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાના જામીન કરાયા રદ
મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિતના આરોપીના જામીન રદ
હાઇકોર્ટે હીરા જોટવા સહિત આરોપીઓના જામીન ફગાવ્યા
સુપ્રીમ કોર્ટ જવા માટે આરોપીઓએ 15 દિવસનો સમય મેળવ્યો
હીરાભાઈ જોટવા, જોધાભાઈ સોઢા, પિયુષ નુંકાણીના જામીન રદ
મહેશકુમાર પરમાર,… pic.twitter.com/5hwSenIm80— Gujarat First (@GujaratFirst) January 28, 2026
આ પણ વાંચો - Ajit Pawar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જાણો શું કહ્યું ?
હીરાભાઈ જોટવા, જોધાભાઈ સોઢા સહિત આ લોકોના જામીન રદ
માહિતી અનુસાર, કરોડોનાં મનરેગા કૌભાંડમાં હીરાભાઈ અર્જુનભાઈ જોટવા, જોધાભાઈ નારણભાઈ સોઢા, પિયુષ રતિલાલ નુંકાણી, મહેશકુમાર ઈશ્વરભાઈ પરમાર, દિગ્વિજયસિંહ હીરાભાઈ જોટવા, સરમન સોલંકી, હરેન્દ્રસિંહ પરમાર, સાહેબ મોહમ્મદ યુસુફ દોલા, રાજેશ ટેલર સહિતનાઓનાં જામીન હાઇકોર્ટે (Gujarat High Court) રદ કર્યા છે. હીરાભાઈ જોટવા અને તેમના પુત્ર સહિત મનરેગા કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે ભરૂચ મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ અપીલ કરી હતી.
આ પણ વાંચો - Shahibaug Underbridge : અમદાવાદીઓ માટે ખુશખબર, શાહીબાગ અંડરબ્રિજ 16 કલાક વહેલા શરૂ


