Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બંગાળમાં જીત બાદ PM Modi આવશે ગુજરાત, વડોદરામાં રોડ શો અને સોમનાથમાં સ્વાભિમાન પર્વ

પશ્ચિમ બંગાળના રણમાં વિજય પતાકા લહેરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મેના રોજ ગુજરાતની ધરતી પર પધારી રહ્યા છે. સોમનાથ દાદાના આશીર્વાદ સાથે શરૂ થનારા આ પ્રવાસમાં વડોદરાના માર્ગો પર કેસરીયો મહેરામણ ઉમટશે. આ પ્રવાસના કારણે ભાજપના આંતરિક સમીકરણો અને બેઠકોમાં પણ મોટા ફેરફાર થયા છે,
બંગાળમાં જીત બાદ pm modi આવશે ગુજરાત  વડોદરામાં રોડ શો અને સોમનાથમાં સ્વાભિમાન પર્વ
Advertisement
  • બંગાળમાં વિજય બાદ PM Modi  11 મેના રોજ ગુજરાતના પ્રવાસે!
  • વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શો માટે ભાજપ સજ્જ
  • 11 મેના રોજ સોમનાથમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં આપશે હાજરી
  • પીએમના પ્રવાસને પગલે સૌરાષ્ટ્ર ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મોકૂફ
  • વડોદરાના માર્ગો પર શક્તિપ્રદર્શન સાથે વતનમાં થશે પીએમનું સ્વાગત
  • વડાપ્રધાનની મુલાકાત બાદ 12 મેથી ફરી શરૂ થશે ભાજપની બેઠકોનો ધમધમાટ

PM Narendra Modi in Vadodara: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) શાનદાર દેખાવ અને જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આગામી 11 મેના રોજ પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્ય ભાજપમાં અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પીએમના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

PM Modi ના સોમનાથ અને વડોદરામાં કાર્યક્રમો

વડાપ્રધાનના પ્રવાસનું આયોજન અત્યંત ભવ્ય રાખવામાં આવ્યું છે. 11 મેના રોજ પીએમ મોદી પ્રથમ સોમનાથ (Somnath) જશે, જ્યાં તેઓ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' (Somnath Swabhiman Parv) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે. જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેઓ વડોદરા (Vadodara) પહોંચશે. વડોદરામાં વડાપ્રધાનનો એક ભવ્ય રોડ શો (Grand Roadshow) યોજાવાનો છે, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે. આ રોડ શો દ્વારા ભાજપ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.

Advertisement

Advertisement

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મોકૂફ

પીએમ મોદીના આ અચાનક નક્કી થયેલા કાર્યક્રમને પગલે ભાજપ સંગઠનના આંતરિક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ઉમેદવારો કે આગામી રણનીતિ નક્કી કરવા માટે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક (Parliamentary Board Meeting) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. હવે આ મહત્વની બેઠક વડાપ્રધાનના પ્રવાસ બાદ એટલે કે 12 મે પછી યોજાશે તેવી શક્યતા છે.

કેડરમાં નવો ઉત્સાહ ફૂંકવાના પ્રયાસ

રાજકીય વિશ્લેષકો આ પ્રવાસને આગામી સ્થાનિક ચૂંટણીઓ અને બંગાળ વિજય બાદ કેડરમાં નવો ઉત્સાહ ફૂંકવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. વડોદરા ભાજપ દ્વારા રોડ શોના રૂટ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 પકડાયા, રૂ. 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×