PMJAY-MA : ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સરકારની લાલ આંખ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા”PMJAY-MA યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
Advertisement
- PMJAY-MA: “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી
- હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
- કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
- આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજર-Cardiac Procedure માં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા
PMJAY-MA : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા(Praful Pansheriya)ના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા”PMJAY-MA યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.

