Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Prafull Pansheriya Civil Hospital: ઈજાગ્રસ્તોની વહારે આવ્યા મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયા, સિવિલ હોસ્પિટલ પહોંચી કરી મુલાકાત

બારડોલી અકસ્માતના આઘાતજનક સમાચાર બાદ મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયા ગાંધીનગરથી દોડીને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે માત્ર ઈજાગ્રસ્તોના ખબર-અંતર જ નહોતા પૂછ્યા, પરંતુ હોસ્પિટલ તંત્રને ગંભીરતાપૂર્વક તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ આપ્યા હતા. પરિવારજનોને હિંમત આપતા મંત્રીએ દર્દીઓના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
prafull pansheriya civil hospital  ઈજાગ્રસ્તોની વહારે આવ્યા મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયા  સિવિલ હોસ્પિટલ પહોંચી કરી મુલાકાત
Advertisement

Prafull Pansheriya Surat Civil Hospital: બારડોલી ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓની સ્થિતિને ધ્યાને લઈ, રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ગાંધીનગરથી સીધા જ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને પ્રત્યક્ષ મળીને તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી.

પરિવારજનોને પાઠવી સાંત્વના

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઈજાગ્રસ્તોના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી અને આ કઠિન સમયમાં તેમને ધીરજ તેમજ હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમયમાં હું અને સમગ્ર સરકાર ઈજાગ્રસ્તો તથા તેમના પરિવારજનોની સાથે છીએ."

Advertisement

Prafull Pansheriya એ તંત્રને આપી જરૂરી સૂચનાઓ

સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, "હોસ્પિટલના તબીબો અને તમામ આરોગ્યકર્મીઓ દ્વારા ઈજાગ્રસ્તોને ખૂબ જ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. મેં હોસ્પિટલ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે દર્દીઓને તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ અને દવાઓ સમયસર મળી રહે તેમાં કોઈ કચાસ ન રહેવી જોઈએ." અંતમાં તેમણે ઈશ્વર પાસે તમામ દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Mehsana Railway Accident: માલગાડીની અડફેટે ત્રણ માસૂમ કિશોરોના કરુણ મોત

Tags :
Advertisement

.

×