Rajkot: ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત; 4 સગા દેરાણી જેઠાણીના મોત, 18 ઘાયલ
Rajkot: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
08:44 AM Nov 26, 2024 IST
|
VIMAL PRAJAPATI
- રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
- ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા 4 ના મોત, 18 લોકો ઘાયલ
- કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત થયા પરિવાર શોકમય
Rajkot: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમામે રાજકોટ અમદાવાદ હાઇવે પર બોલેરો પિકપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. દુઃખની વાત એ છે, આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે તો 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, ઇજાગ્રસ્તનો અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
એક જ પરિવારના ચાર લોકોના મોત
મળતી જાણકારી પ્રમાણે ચોટીલા પાસે આવેલ આપાગીગાના ઓટલા પાસે ગંભીર અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત થયા છે. 4 સગા દેરાણી જેઠાણીના મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. જો કે, અકસ્માત શા કારણે સર્જાયો તેની કોઈ વિગતો હજી સામે આવી નથી.
મૃતકોના નામ
- ગજીબેન રેથરિયા
- ગલાલબેન રેથરિયા
- મંજુબેન રેથરિયા
- ગૌરીબેન રીઠરીયા
આ પણ વાંચો: Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ
Next Article