Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot: કરણભાઈ અદાણીએ કચ્છ માટે 1.5 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત, વાંચો વધુ

Rajkot માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત 2026માં અદાણી પોર્ટ્સના એમડી કરણભાઈ અદાણીએ ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું હતું. તેમણે આગામી 5 વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં રુ. 1.5 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. જેમાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક અને મુન્દ્રા બંદરની ક્ષમતા બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરશે.
rajkot  કરણભાઈ અદાણીએ કચ્છ માટે 1 5 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત  વાંચો વધુ
Advertisement
  • રાજકોટમાં Vibrant Gujarat Regional Conference યોજાઈ
  •  "અદાણી ગ્રુપ આગામી 5 વર્ષમાં કચ્છમાં 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે"
  • "ખાવડામાં બનશે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક: ભારતનું નવું ઉર્જા ગેટવે"
  • "મુન્દ્રા પોર્ટની ક્ષમતા થશે બમણી; ગુજરાત બનશે દેશનું લોજિસ્ટિક્સ પાવરહાઉસ"

Vibrant Gujarat Regional Conference: રાજકોટના આંગણે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2026'માં અદાણી પોર્ટ્સ અને સેઝ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણભાઈ અદાણી (Karanbhai Adani) એ ભારતની આર્થિક પ્રગતિમાં ગુજરાતના પ્રદાન અને અદાણી સમૂહના ભવિષ્યના રોડમેપ વિશે એક પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે ગુજરાતની ધરતી પરથી દેશના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવો અધ્યાય લખવાની ખાતરી આપી હતી.

વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા

પોતાના વક્તવ્યની શરૂઆત કરતા કરણ અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આદરણિય પ્રધાનમંત્રી, આપના નેતૃત્વ હેઠળ ભારતમાં માત્ર અર્થતંત્રના કદમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રની માનસિકતામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્યું છે. આપે ભારતને માત્ર પ્રોજેક્ટ્સ પૂરતું મર્યાદિત ન રાખીને વિકાસને એક 'સભ્યતાના મિશન' તરીકે જોવાની દ્રષ્ટિ આપી છે." તેમણે ઉમેર્યું કે આજે ભારત વૈશ્વિક સ્તરે માત્ર અનુયાયી નથી, પણ ધોરણો નક્કી કરનારું અને વિશ્વના ભવિષ્યને આકાર આપનારું રાષ્ટ્ર બન્યું છે.

Advertisement

ગુજરાત: પ્રગતિનું જીવંત ઉદાહરણ

ગુજરાતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, ભારતના જીડીપીમાં ગુજરાતનું 8 ટકા યોગદાન અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા હિસ્સો એ રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. ભારતના 40 ટકા કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો દ્વારા થાય છે, જે સાબિત કરે છે કે ગુજરાત ખરા અર્થમાં વૈશ્વિક સ્તરે જોડાયેલું રાજ્ય છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' શબ્દ પ્રચલિત થયો તે પહેલાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝડપી નિર્ણય પ્રક્રિયા અને મજબૂત સંસ્થાઓનું નિર્માણ કરીને ઉદ્યોગસાહસિકતા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું હતું.

Advertisement

કચ્છ: અદાણી સમૂહની કર્મભૂમિ અને પરિવર્તનનું પ્રતીક

કરણ અદાણીએ કચ્છ જિલ્લાના પરિવર્તનને એક શક્તિશાળી ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "એક સમયે અંતરિયાળ ગણાતું કચ્છ આજે ભારતનું સૌથી વ્યૂહાત્મક લોજિસ્ટિક્સ અને એનર્જી હબ છે. અદાણી સમૂહ માટે મુન્દ્રા એ માત્ર બંદર નથી, પણ અમારી કર્મભૂમિ છે." મુન્દ્રામાં હાલમાં ભારતનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર પ્લાન્ટ, કોલસાથી પીવીસી સંકુલ અને સૌર ઉત્પાદન સંકુલ કાર્યરત છે, જે પ્રદેશના આર્થિક ચિત્રને બદલી રહ્યું છે.

રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ!

આ સમિટમાં સૌથી મોટી જાહેરાત કરતા કરણ અદાણીએ જણાવ્યું કે, અદાણી સમૂહ આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં રુ. 1.5 લાખ કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ રોકાણના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક: ખાવડામાં 37 ગીગાવોટ (GW) ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

મુન્દ્રા પોર્ટનો વિસ્તાર: આગામી 10 વર્ષમાં મુન્દ્રા બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને બમણી કરવામાં આવશે.

ગ્રીન એનર્જી સ્ટેટમેન્ટ: આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત વિશ્વને સંદેશ આપશે કે આર્થિક વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી બંને એકસાથે શક્ય છે.

વિકસિત ભારત - 2047 માં ભાગીદારી

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના વિઝનને ટાંકીને કરણ અદાણીએ કહ્યું કે, "અમારા સમૂહનો વિકાસ રાષ્ટ્રના વિકાસથી અલગ નથી. ગુજરાત અમારો પાયો છે અને અહીંથી જ અમારી સફર શરૂ થઈ છે." તેમણે ખાતરી આપી હતી કે અદાણી સમૂહના દરેક રોકાણ પાછળ રોજગાર સર્જન, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને આત્મનિર્ભરતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનવા તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે ગુજરાત આ પરિવર્તનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. અદાણી સમૂહ ભારતને વૈશ્વિક સ્તરે માનવંતુ રાષ્ટ્ર બનાવવામાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે હંમેશા અગ્રેસર રહેશે.

આ પણ વાંચોઃ Rajkot: PM એ કર્યું વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન!, ગુજરાતમાં સૌથી મોટું AI ડેટા સેન્ટર બનશે!

Tags :
Advertisement

.

×