Surendranagar: શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પહેલ, ડ્રોપ-આઉટ દીકરીને ફરી શાળાએ મોકલી
સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું એક સંવેદનશીલ પગલું ચર્ચાનો વિષય બન્યું છે. અભ્યાસ છોડી ચૂકેલી એક દીકરીના ઘરે જઈ મંત્રીએ તેને પુનઃ શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરી હતી. 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ મંત્રીએ માત્ર દીકરીને પુસ્તકો જ નથી આપ્યા, પરંતુ કોલેજ સુધીના તેના તમામ અભ્યાસક્રમનો ખર્ચ સરકાર ભોગવશે તેવી ખાતરી પણ આપી છે.
Advertisement
Rivaba Jadeja Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે શિક્ષણ જગતમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ એક ડ્રોપ-આઉટ (Drop-out) દીકરી દેવયાનીબાના ઘરે અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. દીકરીએ કોઈ કારણોસર અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હોવાની જાણ થતા જ મંત્રીએ સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વગર સીધા જ દીકરીના ઘરે પહોંચવાનું નક્કી કર્યું હતું.

