Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Electricity Saving: સચિવાલયમાં વીજ બચત માટે નવું ફરમાન, AC માટે 24 ડિગ્રી, અન્ય વીજ ઉપકરણો માટે કડક સૂચનાઓ જાહેર

સચિવાલય સંકુલમાં વીજળીનો વ્યય અટકાવવા સરકારે કડક વલણ અપનાવ્યું છે. નવી સૂચનાઓ અનુસાર AC નું તાપમાન 24 ડિગ્રી પર મર્યાદિત રાખવું અને જરૂરિયાત મુજબ જ ઉપકરણોનો ઉપયોગ કરવા આદેશ અપાયો છે. વોટર કુલરના સમય સાથે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ઊર્જા સંરક્ષણ અને સરકારી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી લેવાયેલા આ નિર્ણયોથી આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળશે.
electricity saving  સચિવાલયમાં વીજ બચત માટે નવું ફરમાન  ac માટે 24 ડિગ્રી  અન્ય વીજ ઉપકરણો માટે કડક સૂચનાઓ જાહેર
Advertisement

ગુજરાત સરકાર દ્વારા સચિવાલય સંકુલમાં વીજળીનો વપરાશ ઘટાડવા અને ઊર્જા સંરક્ષણ (Energy Conservation) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં (Government Offices) વીજ બચત અંગેની સૂચનાઓનું કડક અમલીકરણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે.

AC અને વીજ ઉપકરણો પર વિશેષ નિયંત્રણ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ મુજબ, અધિકારીઓની ચેમ્બર (Officer Chamber), મિટિંગ રૂમ (Meeting Room) અને સર્વર રૂમ (Server Room) માં જરૂરિયાત મુજબ જ એર કંડિશનર (AC) ચલાવવાની સૂચના અપાઈ છે. ઉર્જા બચાવવા માટે ACનું તાપમાન સ્ટાન્ડર્ડ મુજબ 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ કચેરીઓમાં જ્યારે જરૂર ન હોય ત્યારે લાઈટ, પંખા અને અન્ય વીજ ઉપકરણો (Electrical Appliances) તરત જ બંધ રાખવા માટે કર્મચારીઓને સજાગ રહેવા જણાવાયું છે.

Advertisement

Advertisement

દૈનિક દિનચર્યામાં સાદગીનો આગ્રહ

વીજળીનો બચાવ માત્ર ઉપકરણો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવું આયોજન કરવા અને વોટર કુલર (Water Cooler) સવારે 9 વાગ્યા પછી શરૂ કરી સાંજે 6 વાગ્યા પછી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ, કર્મચારીઓને લિફ્ટનો મર્યાદિત ઉપયોગ કરવા અને સીડીઓનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સરકારી તિજોરી પરના આર્થિક બોજમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ જતન થશે. સચિવાલયના તમામ વિભાગોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકા સાથે ડીલ ફાઇનલ હોવાનો ઈરાનનો મોટો દાવો, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર

Tags :
Advertisement

.

×