Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sardar Vallabhbhai Patel : અખંડ ભારતના શિલ્પીની 150મી જન્મજયંતિની ઊજવણી

સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી
sardar vallabhbhai patel   અખંડ ભારતના શિલ્પીની 150મી જન્મજયંતિની ઊજવણી
Advertisement
  • Sardar Vallabhbhai Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી (150th birth anniversary of Sardar Vallabhbhai Patel )ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
    :કેન્દ્રીય કૃષિ મંત્રી  શિવરાજ સિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી ૨૯ મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન (Vikaasit Krushi Sankalp Abhiyan) નું બારડોલીમાં સમાપન થશે
  • ખેડૂત સંમેલન અંતર્ગત બાગાયતી પાક અને કેળા તથા શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ - પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર - પાક સંગ્રહ ગોડાઉનના ઈ-લોકાર્પણ
  •  બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગર કેન(Center of Excellence for Sugar Cane)નું ઈ-ખાતમુહૂર્ત થશે

Sardar Vallabhbhai Patel :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી (150th birth anniversary of Sardar Vallabhbhai Patel)વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે.

Advertisement

વડાપ્રધાનશ્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે.

Advertisement

સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન

આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh Chauhan)એ ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે.

વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટ-Micronutrientના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.

પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ Shivrajsinh Chauhan)આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર-Primary Processing Centerના ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.

ગુરુવારે તા. ૧૨મી જૂને બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી  રાઘવજી ભાઈ પટેલ(Raghavaji  Patel) પણ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો :VADODARA : વિશ્વામિત્રીની વહનક્ષમતા વધારવા 25 કિમીમાં સિંચાઇ વિભાગની કામગીરી પૂર્ણ

Tags :
Advertisement

.

×