Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SIR Campaign : મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક: 18 જાન્યુઆરી સુધી

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના લાયક નાગરિકોને મતાધિકાર મળે અને મતદાર યાદી ક્ષતિરહિત બને તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
sir campaign   મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક  18 જાન્યુઆરી સુધી
Advertisement

SIR Campaign: ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના લાયક નાગરિકોને મતાધિકાર મળે અને મતદાર યાદી ક્ષતિરહિત બને તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

SIR Campaign : મુસદ્દા યાદી બાદ હવે વાંધા-દાવાનો તબક્કો

રાજ્યભરમાં ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ વિવિધ તબક્કાની કામગીરી પૂર્ણ કર્યા બાદ, ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ 'મુસદ્દા મતદાર યાદી' (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદીના આધારે હવે નાગરિકો પોતાના નામ ઉમેરવા, સુધારવા કે કમી કરવા માટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકશે.

Advertisement

અત્યાર સુધીની આંકડાકીય વિગત (૨૩ ડિસેમ્બર સુધી)

મતદાર યાદી સુધારણા માટે નાગરિકોનો ઉત્સાહ જોતા મોટી સંખ્યામાં અરજીઓ મળી રહી છે:

Advertisement

અરજીનો પ્રકારકુલ ફોર્મ (૨૩ ડિસેમ્બર સુધી)મુસદ્દા યાદી પહેલામુસદ્દા યાદી બાદ
નામ ઉમેરવા (ફોર્મ 6/6A)92,23569,76022,475
નામ કમી કરવા (ફોર્મ 7)13,33111,0742,257

SIR Campaign -તંત્ર દ્વારા સઘન કામગીરી

ચૂંટણી અધિકારીઓ દ્વારા મળેલા ફોર્મ્સની સત્યતા ચકાસવાની કામગીરી પણ સાથે-સાથે શરૂ કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં અધિકારીઓ વાંધાઓનો નિકાલ કરીને આખરી મતદાર યાદી તૈયાર કરવાની દિશામાં કાર્યરત છે. જે નાગરિકોની ઉંમર ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતી હોય, તેઓ માટે આ નામ નોંધાવવાની સુવર્ણ તક છે.

નાગરિકો માટે સૂચના

જો આપનું નામ હજી સુધી મતદાર યાદીમાં નથી અથવા મુસદ્દા યાદીમાં કોઈ ભૂલ જણાય છે, તો આપ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી અથવા ઓનલાઇન પોર્ટલના માધ્યમથી અરજી કરી શકો છો.

આ પણ વાંચો : Gujarat: વિશ્વ ધ્યાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ - સ્વસ્થ મનથી જ વિકસિત ભારત શક્ય

Tags :
Advertisement

.

×