Somnath: દર્શને આવેલા પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના, જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકાથી મચ્યો હડકંપ
પવિત્ર યાત્રાધામ સોમનાથના પ્રવાસે આવેલા રાજસ્થાનના એક પરિવાર માટે દર્શનની આ ઘડીઓ અચાનક ચિંતામાં ગરકાવ થઈ ગઈ. સ્થાનિક સ્વદેશી હાટમાં આરોગેલા ભોજન બાદ 9 જેટલા બાળકોની હાલત એવી બગડી કે તેમને તાત્કાલિક ઈમરજન્સીમાં ખસેડવા પડ્યા.
Advertisement
Somnath Food Poisoning Case: યાત્રાધામ સોમનાથ (Somnath Temple) ખાતે દર્શનાર્થે આવેલા પર્યટકોની તબિયત અચાનક લથડતાં પ્રશાસન અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજસ્થાનના જયપુર (Jaipur) થી સોમનાથ દર્શન કરવા માટે આવેલા એક પ્રવાસી ગ્રૂપના ૯ જેટલા બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ (Food Poisoning Case) થયું હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. બાળકોની તબિયત એકાએક બગડતાં પરિવારજનોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો.

