Rajkot: ધોરાજીના સુપેડીમાં સંતના અપમાનનો મામલો ગરમાયો, સાધુ સમાજના શક્તિ પ્રદર્શનથી તંત્ર દોડતું થયું
- Rajkot: ધોરાજીના સુપેડીમાં મંદિરની ગાદી માટે ઉગ્ર સંગ્રામ!
- મુરલી મનોહર મંદિરના પૂજારીના સમર્થનમાં સાધુ સમાજ મેદાને
- મહંત રવિદાસબાપુને ગાદી પુનઃ અપાવવા રામાનંદી સમાજની માંગ
- સમાધાન વચ્ચે પોલીસની એક્શનથી સમર્થકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો
- સંતોના અપમાનના આક્ષેપ સાથે સુપેડીમાં યોજાયું મહાસંમેલન
- કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Rajkot: સૌરાષ્ટ્રમાં ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ધોરાજીના (Dhoraji) સુપેડી ગામમાં સ્થિત મુરલી મનોહર મંદિરનો (Murli Manohar Temple) વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મંદિરના પૂજારી મહંત રવિદાસબાપુને (Mahant Ravidas Bapu) ગાદી પરથી હટાવવા અને તેમને મંદિર છોડવા માટે મજબૂર કરવાના મામલે રામાનંદી સાધુ સમાજમાં (Ramanandi Samaj) ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Rajkot: ગરીમા પર પ્રહારની લાગણી
મુરલી મનોહર મંદિરના પૂજારી મહંત રવિદાસબાપુને કેટલાક ગ્રામજનોના વિરોધને પગલે મંદિર છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને રામાનંદી નવનિર્માણ સેના (Ramanandi Navnirman Sena) અને સાધુ સમાજે સનાતન ધર્મની ગરિમા પર પ્રહાર ગણાવ્યો છે. પૂજારીને તેમની ગાદી પુનઃ સન્માનપૂર્વક અપાવવા માટે સાધુ સમાજ દ્વારા એક વિશાળ મહાસંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ધોરાજીના સુપેડી મંદિરનો વિવાદ ઉગ્ર બન્યો
પૂજારીને ગાદી પુનઃ અપાવવા રામાનંદી સમાજની માગ
મુરલી મનોહર મંદિરના પૂજારી છે મહંત રવિદાસબાપુ#Rajkot #Dhoraji #SupediTemple #RamanandiSamaj #HinduSaints #PoliceAction #JusticeForMahant #GujaratFirst pic.twitter.com/cvoYjxUGKe— Gujarat First (@GujaratFirst) May 14, 2026
પોલીસની કાર્યવાહી અને વિવાદ
નવી વિગતો મુજબ, વિવાદના સુખદ અંત માટેની ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસની (Rajkot Police) એક્શનને પગલે મામલો વધુ બિચક્યો છે. પોલીસે મહંત રવિદાસબાપુને પોતાની સાથે લઈ જતા સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમાધાનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને સંતોનું અપમાન ગણાવવામાં આવી રહ્યું છે.
સુપેડીમાં ચુસ્ત બંદોબસ્ત
હાલમાં સુપેડી ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત (Police Security) તૈનાત કરી દેવામાં આવ્યો છે. રામાનંદી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો સંતને યોગ્ય ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે.
આ પણ વાંચો: Amreli ના રાજુલામાં કરુણાંતિકા, કાળઝાળ ગરમી વચ્ચે ધાતરવડી નદીમાં નાહવા પડેલા બે બાળકોના મોત


